________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
સંસારમાં મહત્તા અને પ્રસિદ્ધિ મેળવવા માટે કેટલાક ઉચ્ચાર અને આચારનું પાલન કરતાં જણાય છે પરંતુ પ્રસંગે તેમના તે ઉચ્ચાર અને આચાર ખાસ જોવા અને જાણવા જોઈએ. ગુસ્સાના પ્રસંગે જે તેઓ ભાન ભૂલી ગમે તેમ બેલે અને વર્તે તે તેમની કઈ જ મહત્તા નથી. માટે શ્રી સદ્દગુરુ કહે છે તે સાચું કહે છે કે“પ્રસંગ પડે પરખાય, ભૂલ્યાં કાં ભમે છે?”
જે મળ્યું તે કર્મોદયે તમને ગમતાં કે અણગમતા જે તન અને મન મળ્યાં હોય તેને આનંદપૂર્વક સ્વીકાર કરી લે. કમને તે સ્વભાવ જ એ છે એ દુઃખ પણ આપશે અને સુખ પણ આપશે માટે સુખમાં અભિમાન કરવું નહિ અને દુખમાં ગભરાઈ જવું નહિ, પરંતુ સહનશીલ બની મળેલું જીવન પસાર કરવું.
અમરપટ નથી તમને બધી જાતને અનુકૂળ સાધને મળ્યાં હોય તે બીજાઓની અવગણના કરશો નહિ. કારણ કે મન અને તન સદાય એક સરખા રહેતા નથી. અને જ્યારે તે ખસી જશે ત્યારે બીજાએ તમારી જ અવગણના કરશે માટે કોઈની અવગણના કરશે નહિ.
For Private And Personal Use Only