SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં શ્રીં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીસગુલ્યો નમેન આંતર જ્યોતિ ભાગ ૪ ત્રણ મંગળ જેનાથી કલ્યાણ સધાય, દુઃખે અને સંકટ દૂર જાય તેમજ જેનાથી સત્ય સ્વાધિનતા પ્રાપ્ત થાય, તેને મંગળ કહેવાય છે. આવું હિતકારક અને શ્રેયસ્કર મંગળ ત્યારે જ સાધ્ય થાય કે જ્યારે મેહનીય કર્મથી જનમેલાં મમતા-અહંકારઈષ્ય વગેરે દોષને હેય તરીકે માનીને સમ્યગ દર્શન–જ્ઞાન અને ચારિત્રની રૂડી રીતે આરાધના કરવામાં આવે. આ ત્રણેયની આરાધના કરવાથી એશીયાળાપણું રહેતું નથી અને પરાધીનતાને નાશ થાય છે. માટે આત્મ કલ્યાણ કરવા માટે મોહ-મમતા-અહંકાર-ઈષ્ય વગેરેને ત્યાગ કરે જોઈએ સુખની ચાવી આજે સૌને સાચા સુખ અને શાંતિ નથી મળતાં તેનું કારણ દરેકે સત્ય મંગળ નથી કર્યું તે છે. લેક બાહ્ય મંગળ કરે છે. ગેળ-દહીં અક્ષત વગેરેને દરેક મંગળ માને છે. પરંતુ બાહ્ય મંગળથી પાપ નાશ પામતા નથી. પાપ તે કલેશ કંકાસ-અદેખાઈ વગેરે દોષને ત્યાગ કરવાથી જ ખસે છે. અને મન-વચન અને કાયા જ્યારે શુદ્ધ થાય છે ત્યારે જ સત્ય સ્વાધિનતા પ્રાપ્ત થાય છે અને માનવીને સાચા સુખ અને શાંતિ મળે છે. For Private And Personal Use Only
SR No.008521
Book TitleAntarjyoti Part 4
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1967
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy