________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
આંતર જ્યાતિ
ભરે છે. તેથી મને ઘણું નુકશાન થાય છે. હું તેને રજા આપી શકતા નથી. કારણકે તેઓને છૂટા કરવાથી તેમના જેવા ખીજા મુનીમા મને મળતા નથી. અને હું એકલેા પેઢીનું કામકાજ સાંભળી શકું તેમ નથી. દીકરાઓ છે તે બધા હજી નાના છે. અને અભ્યાસ કરે છે. આના લીધે મારી ચિંતાઓનો કોઈ પાર નથી. અને પેઢીઓનાં જે નુકશાન થઇ રહ્યું છે તે પણ સહન થતું નથી. એટલે શાક–સંતાપ પાર વિનાના છે.
પેલા ભાઈસાહેમ આ સાંભળીને ત્યાંથી રવાના થઈ ગયા. અને રાજાને મળ્યા ને બધી હકીકત જણાવી પૂછ્યું હે રાજન્ ! તમને તો કઈ વાતની ચિંતા નથી ને ? તમને કોઈ શેાક સતાપ સતાવતા નથી ને?
ત્યારે રાજાએ કહ્યું, અરે ભ્રમિત માનવ ! સંસારના નધર સાધનો તને નચિંત બનાવી શકશે નહિ. એ તે ઉલ્ટી તારી ચિંતાઓમાં વધારો જ કરશે, મારી જ વાત જાણુ. મારી પાસે મન પસંદ અને અઢળક વૈભવ છે પણ મારા દુ:ખાનો પાર નથી. પિંગલા રાણીની માફક મારી રાણી મીજાની અનુરાગી છે. અધિકારીએ મારી આજ્ઞા મુજબ વર્તન કરતાં નથી. અને લાંચરૂશ્ર્વત લઈને પ્રજાને દુઃખ આપે છે. આવી આવી તે હે મહાનુભાવ ! મને ઘણી ઉપાધઓ અને ચિંતા છે, તને તેમાંથી કેટલી ગણાવુ ?
રાજાની આ વાત સાંભળી પેલા ભાઇસાહેબ પડિત પાસે ગયેા. અને તેને પણ રાજા અને શેઠની જેમ પ્રશ્ન પૂછ્યું.
*
For Private And Personal Use Only