________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર જાતિ
બુદ્ધિની સફળતા મનુષ્ય પાસે બુદ્ધિ, બળ અને સત્તા વગેરે સાધન સામગ્રી હોવા છતાં ઉદયમાં આપી પડેલ દુઃખને દૂર કરવા સારો ઉપાય કરતાં નથી. તેથી તેઓનું જોર કયાંથી ઓછું થાય? બુદ્ધિ, બળ અને સત્તાને એવા પ્રકારે વાપરીએ કે જેથી કર્મોના ઉદયે આવી લાગેલાં જન્મ–જરા, મરણની. વિટંબણા ટળતી જાય અને વેદના રહે નહિ. આમ કરવામાં જ બુદ્ધિ, બળ, સત્તાની સફળતા રહેલી છે.
હે આત્મન ! અરે આત્મન ! તને સારાં સાધને મળ્યાં છે તો પછી તારે ગભરાવવાની જરૂર નથી. અને વલોપાત કરવાની પણ જરૂર નથી. સદ્દવિચાર અને સવિવેક કરીને બાયેલ શક્તિને આવિર્ભાવ કરીને તાકાતને ફરવ!
સ્વાદને સંગ મન ગમતું ખાઈને ખુશી થવા જેવું નથી. ખુશી થવા જેવું તે તેની આસક્તિનો ત્યાગ કરવામાં છે. અને
ક્યારે હવે હું નિરાહારી બનીશ? તેને વિચાર વિવેક કરવામાં છે. ખાવા પીવાની પરાધીનતા પણ એક પ્રકારની બેડી છે. મન પસંદ ખાવાનું મળે નહિ તે ક્રોધ થતાં વાર લાગતી નથી. અને મનમાં દુઃખ–લાનિ થાય છે. આથી રવાદને સંગ દૂર કરવા જેવું છે.
For Private And Personal Use Only