SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવ્યું અને વીશ વર્ષને યુવાન થયે છતાં આત્મિકલાભ લેવા નહી; પુણ્યને વ્યય તથા કર્મનું કરજ અધિક થયું, તેની વિચારણા પણ કરતું નથી. અને દુન્યવી લાભ માટે ચિન્તાતુર બને છે, આ કેવી લાભ લેવાની ધગશ ? લાભ લેવાની સાચી ધગશ હેય તે સમજણું થયા પછી પ્રમાદમાં અને આળસમાં વખત કેમ ગુમાવાય? આળસ અને પ્રમાદથી ઉત્તમ સાધને મળ્યાં પણ લાભ લઈ શકાશે નહીં, તેથી તે ખરચ તથા કરજ વધતાં આગળ વધી શકાશે નહીં અને પાછળ પડવું પડશે, માટે કર્મના કરજને દૂર કરવા તથા તે કરજ વધે નહી તે માટે પ્રયત્ન કરવાની ખાસ અગત્યતા છે; કર્મના પડદા જ્યાં સુધી આડા પડ્યા છે ત્યાં સુધી આત્મશક્તિને આવિર્ભાવ થતું નથી. જે તે પડદાને ખસેડવામાં આવે તે આધિ-વ્યાધિ અને વિડંબનાઓ દૂર ખસે. એક સિદ્ધ ગી પાસે પારસમણિ હતો પણ તેની જરૂર પડતી ન હોવાથી લેહની દાબડીમાં રાખી ગુપ્ત સ્થળે રાખત, પિતાના શિષ્યને પણ બતાવતે નહી. કારણકે તેની જાણ થયા પછી શિષ્ય તે શું પણ દરેક માણસને લેવાની ઈચ્છા થાય અને કયારે રાત્રીમાં ઉઠી ગળું દબાવીને લઈ લે, તે કહી શકાય નહીં; માટે ગુપ્ત રાખી, તે પારસમણિની ડબ્બીને કેઈને પણ બતાવતે નહી; તે ડબી બતાવવામાં ભયંકર કંકાસ વિગેરે દેશે રહેલા છે તેમ સમજી કેને આપ તે વિચારણું દરરોજ કરતા, પણ કેઈ લાયક દેખાતે નહી. વખત જતાં પિતાના જ એક શિષ્યને પ્રતિબોધ આપવા લાગ્યા. તેના યોગે તે શિષ્ય લાયક બચે તેથી આ ચગીની ચિન્તા એ થઈ અને પિતાનું For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy