SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનંત શુદ્ધિને આવિર્ભાવ કરે છે તે કપટ-દંભને ત્યાગ કરે તે પ્રથમ કર્તવ્ય છે. કપટ કરવાથી વ્યાવહારિક કાર્યોમાં પણ પુનઃ પુનઃ વિને ઉપસ્થિત થાય છે. જનતામાં કપટીને વિશ્વાસ રહેતું નથી. ભલે પછી તે કપટી, મધુરાં વચને બોલી મનોરંજન કરે અને વિશ્વાસને બેસાડવા માટે વિવિધ યુકિતઓ જે પણ સર્વ વૃથા થાય છે, તે પછી તે આત્મધર્મને-આત્મતત્વને કેવી રીતે મેળવી શકે ? ૨૨. અર્પણુતા વિના અહંકાર અને મમતા-અદેખાઈ-નિન્દા વિગેરે દેશે દૂર ખસતા નથી, અને આત્મવિકાસના આવિર્ભાવ થવાને અવસર અને અવકાશ ઉપલબ્ધ થતું નથી; જે કઈ ભાગ્યશાલીએ આત્મવિકાસ સાધેલ છે, તેમણે દેવગુરુ અને ધર્મમાં અર્પણતા સાધીને અહંકાર અને મમતા વિગેરેના વિકારોને ત્યાગ કરેલ છે જ, પછી જ આત્મશક્તિને આવિર્ભાવ થયો છેઆ સિવાય ભવપરંપરાને નાશ થતું નથી, અને અસહ્ય વેદનાઓ પણ હડતી નથી. માટે સમજુ જનોએ સાચા સુખને લહાવે લેવા માટે કપટ રહિત બની અર્પણ થવું જોઈએ. જો કે પ્રથમના એવા સંસ્કાર પડેલા હોવાથી કપટદંભને દૂર કરતાં કષ્ટ લાગશે. વિચારોનું પરિવર્તન કરતા મુંઝવણ થશે, પણ ભીતિને ધારણ કરવી નહીં લેકે ભળે અને ગમાર પણ કહે તે પણ સત્યથી પાછું હઠવું નહીં. અરે સમગ્ર જગત્ ખીજે તે પણ સરલતાને ત્યાગ કરે નહી તે જ આત્મિક શક્તિને-આત્મિક વિકાસને લાભ મળી શકશે. ૨૩સરલતાથી જ દિવ્ય ચક્ષુ ખુલે છે, અને વિશ્વ વિચારેને પ્રાદુર્ભાવ થાય છે એટલે સરલતાથી જીવનનું ઘડતર For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy