SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જશે નહીં; જો કે આ પાંચમા આરામાં ક્ષાયિક ભાવ નથી તે પણ તેની ભાવનાપૂર્વક પ્રથમ આ ભવમાં તૈયારી કરી હશે. તે બીજા ભવમાં એટલે શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં તે ભાવ મળી રહેશે; પછી તમને ચિન્તા-વ્યાધિ વલોપાત રહેશે નહીં. આત્માને, વિકાસ સધાશે અને મોક્ષના સુખમાં મગ્ન બનશે; માટે તમારી સાચી વસ્તુઓને ન ઓળખી હોય તે ગુરુગમને ગ્રહણ કરીને ઓળખે, મેળવે અને સાચવે. તમારી દષ્ટિ આત્મિક ગુણે તરફ નહીં હોવાથી સંગે મળેલ વસ્તુને પિતાની માની બેઠેલા છે અને તેમાં વધારો કરવા તનતોડ મહેનત કરી રહેલ છે. તેમાં તમને સત્ય સુખ મળે ક્યાંથી? ખેટાને ત્યાગ કર્યા સિવાય સાચી વસ્તુઓ તરફ નજર પણ પડતી નથી માટે સમ્યજ્ઞાનથી અસત્ય અને સત્યની પરીક્ષા કરે તમારું તમારી પાસે જ છે, દૂર નથી. દર ભટકશે તે ધક્કા ખાવા પડશે. ૧૭. મેરે મનુષ્યભવને પામી મનુષ્ય, જે પશુપંખીની માફક ચાર સંજ્ઞાઓને છેવટના શ્વાસોચ્છવાસ પર્યત છેડી શકે નહીં, તે મળેલા મનુષ્ય જન્મની સફળતા પ્રાપ્ત કરી શકે નહીં. સંજ્ઞાઓને ત્યાગ કરવા માટે મનુષ્ય જન્મ પરમ સાધન છે તે સાધનને જેમ તેમ વિષય કક્ષાના વિકારમાં વેડફી નાંખવું તે કર્તવ્ય નથી, કારણ કે વિષય કષાના વિકારમાં આસક્ત બનેલ મનુષ્યોને પુનઃ મનુષ્ય ભવ પ્રાપ્ત થ દશ દષ્ટાંતે દુર્લભ છે. વિષય કષાયમાં આસક્ત બનેલ માનવે કદાપિ રાગ-દ્વેષ અને મેહને ત્યાગ કરવામાં સમર્થ બની શક્તા નથી અને રાગાદિકને ત્યાગ કર્યા વિના આહાર, ભય, મિથુન અને પરિગ્રહ સંજ્ઞા વિગેરેને ત્યાગ કરી શકતા જ For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy