________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સફલતા પ્રાપ્ત કરવી હોય તે સારામાં સારી અને નિરવદ્ય હવા, આસકિતને ત્યાગ કરે એ છે
૪. દરેક માનવીને ધનાદિકની જરૂર છે પણ ધનાદિક, કેવી રીતે મેળવવું અને મેળવીને તેનું રક્ષણ કેમ કરવું, તેમાં ભ્રમિત બને છે તેથી સાચા જુઠા કરીને ધનાદિકને પ્રાપ્ત કર્યા પછી તેને કે ઉપયોગ કરે તેને ઉપગ નહી રહેતે હેવાથી આરંભ સમારંભમાં પ્રાયઃ ઉપયોગ થાય છે તેથી તે પૈસે, પાપાનુબંધી વિવિધ પાપ કરાવે છે.
પ. ગમે તે બલવાન અને બહાદુર યોદ્ધો હોય તેપણું તે જે વિવશ વિષયમાં બને, અગર કામિનીના વશવતી બને તે, તે બલ અને બહાદુરીનું લીલામ કરતે રહે છે. અને પરિણામે અત્યંત પરિતાપ થયા સિવાય રહે નથી. માટે બલ-બુદ્ધિ-સંપત્તિ કે સત્તાનું રક્ષણ કરવું હેય તે વિષય અને તેનાથી ઉત્પન્ન થતા કષાયોને વશ બને નહી, પણ તેઓને કબજે કરે જેથી સત્તા-સંપત્તિ અને સાહ્યબીનું રક્ષણ થશે અને તેઓને વધારવાની શક્તિને આવિર્ભાવ થશે. તમેએ પ્રાપ્ત કરેલી સત્તા-સંપત્તિ, જેમ તેમ વેડફાઈ જાય છે તેને ખ્યાલ કરો ! અને તેઓને મેળવવાના સાધનેને તમે ચાહી રહેલા છે અને મેળવી રહેલા છે, માટે તેવા સાધનોથી દૂર હો; ઉપાર્જન કરેલ સત્તા-સંપત્તિને જાળવવાની તાકાત, બહારથી આવશે નહી. પણ વિચાર બદલાતાં, જે સત્તામાં રહેલ છે, જે શક્તિ તિભાવે રહેલ છે તેને આવિર્ભાવ થશે, તેથી અપૂર્વ આનંદને હા મળશે.
For Private And Personal Use Only