SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૨ ) જ્યારે જગત્માં જડવાદીઓની મોટી સંખ્યા પ્રગટી નીકળે છે ત્યારે તેના સામે આત્મવાદીઓ ઉભા રહીને અનેક અધ્યાત્મજ્ઞા-દૃલીલારૂપ શાસ્ત્રોથી જડવાદના નાશ કરે છે. જડવાદના ના નાશ. નાશ કરવામાં અદ્ભુત પરાક્રમ દર્શાવનાર, અધ્યાત્મવિ નથી જડવાદ દ્યાથી મનુષ્યેાના હૃદયમાં રહેલા નાસ્તિક ભાવ ટળી જાય છે. જેને જેને અધ્યાત્મજ્ઞાન કહે છે તેને વેદાન્તી બ્રહ્મવિદ્યા, આત્મવિદ્યા, વગેરે નામેાથી ઓળખે છે. ખરી રીતે જૈનશાસ્ત્રોથી અધ્યાત્મવિદ્યાની સિદ્ધિ થાય છે. જડવાદીઓના સામે આત્મવિદ્યા ટકી શકે છે. આત્મજ્ઞાનરૂપ ક્ષેત્રમાં ધર્માનુષ્ઠાને પ્રગટી નીકળે છે. હાલમાં યૂરોપ તથા એશીયા વગેરે ખંડમાં જડવાદીઓની સંખ્યા વધતી જાય છે અને તેથી તેઓ ઈશ્વર, પુણ્ય, પાપ, પુનર્જન્મ, આત્મા વગેરેના સ્વીકાર કરતા નથી; તેવા લોકેાની સંખ્યામાં વધારે થતા દેખીને જેઓના મનમાં કંઇક લાગે એવા મનુષ્યાએ અધ્યાત્મવિદ્યાને ફેલાવો કરવા કમર કસવી જોઈએ. અંધકારના નાશ ખરેખર પ્રકાશવિના થતા નથી, તેમ જડવાદીઓના નાસ્તિક વિચારોના નાશ ખરેખર અધ્યાત્મજ્ઞાનવિના થતા નથી. જડવાદીઓના આત્મામાં ચૈતન્યસ રેડનાર અધ્યાત્મવિદ્યા છે. જડવાદીઓની સત્યચક્ષુ પ્રગટાવનાર ખરેખર આત્મવિદ્યા છે. ચાર્વાકાની દલીલોને તેડી નાખીને ચૈતન્યપ્રદેશમાં અધ્યાત્મવિદ્યા લેઈ જાય છે. અધ્યાત્મજ્ઞાન એજ વિજ્ઞાનવાદીઓની છેલ્લામાં છેલ્લી શેાધ થવાની છે. કેવલજ્ઞાનથી શ્રીમહાવીરપ્રભુએ આત્માને દેખ્યા છે, જાણ્યા છે;-એવા આત્માની શેાધ કરનારા અનેક યાગીએ થઈ ગયા છે અને તેઓએ આત્માનું સ્યાદ્વાદભાવે અસ્તિત્વ સ્વીકાર્યું છે. અધ્યાત્મવિદ્યાથી ચૈતન્યવાદ-આત્મવાદ સ્વીકારી શકાય છે. અધ્યાત્મવિદ્યા એ મૂર્ખાઓની દૃષ્ટિમાં હંમગ છે અને જ્ઞાનિની દૃષ્ટિમાં પરમરત છે. અધ્યાત્મવિદ્યાના ખાગ આર્યાવર્તમાં ખીલ્યા છે અને સુગંધી આસપાસના દેશોમાં જવા લાગી છે. ભારતઆત્મવિદ્યા દેશના વાસીએ અન્ય યૂરોપાદિ દેશને અધ્યાત્મજ્ઞાન ના પ્રચાર. આપીને તેના ગુરૂ બની શકશે. આર્યાવર્તની ભૂમિમાં અધ્યાત્મવિદ્યાના વિચારે। પ્રકટી નીકળે છે અને તેનું પેષણ પણ આ દેશમાં થાય છે. ભારતવાસીઓના ભાગ્યમાં આત્મવિથાના ગુરૂ અનવાનું લખાયેલું છે. ભારતવાસીએ પાશ્ચાત્યેાના સંસર્ગથી નાસ્તિકતાના પ્રદેશમાં મુસાફરી કરવા નીકળી પડશે તાપણુ તે અન્તે ફરીફરીને ચૈતન્યપ્રદેશમાં આવવાનાજ, અધ્યાત્મજ્ઞાનના ઉદચકાલમાં આર્યાવર્ત સ્વતંત્ર હતું અને આર્યલાક આર્યત્વગુણાએ અલંકૃત તેની For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy