SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૨ ) વ્યવહારમાં રસ પડતે નથી એમ અને છે; તેપણુ તેઓએ જે જે અવસ્થામાં અધિકારભેદે ઉચિત વ્યવહાર હાય તેને ન છેાડવા જોઇએ. અધ્યાત્મજ્ઞાનીઓને પણ અધ્યાત્મજ્ઞાન આખી દુનિયામાં પ્રસરે એવા જ્યાંસુધી ભાવ હોય ત્યાંસુધી તેએએ વ્યવહારમાર્ગને અમુક અધિકારપ્રમાણે અવલખવા જોઇએ. ખાવાનાં, પીવાનાં, લધુનીતિ, અને વડીનીતિ તથા નિદ્રા અને આજીવિકાદિ ધૃત્યા જ્યાંસુધી કરવાં પડે છે ત્યાંસુધી, તેઓએ વ્યવહારધર્મક્રિયાઓને પણ અમુક દશાપર્યંત કરવી જોઇએ. વ્યવહારકુશલતાની સૂચના કર્યા બાદ અધ્યાત્મજ્ઞાનની ઉપયોગિતાનું વર્ણન કરવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાન ખરેખર અમૃતરસ સમાન છે. અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃતરસનું પાન કરવાથી જન્મ, જરા અને મરણના ફેરા ટળે છે. પ્રત્યેક ધાર્મિક ક્રિયાઓમાં અધ્યાત્મરસ રેડાય છે. કોઈપણ ધર્મની ક્રિયામાં ઉંડા ઉતરીને તપાસીએ છીએ તેા ઉચ્ચ પ્રકારનું રહસ્ય અવળેાધાય છે. જે આત્માના શુભાદિ અધ્યવસાયાને ઉત્પન્ન કરે છે, તે તે ક્રિયાઓને પણઆરોપ કરીને અધ્યાત્મ તરીકે ઉપદેશાય છે. વસ્તુતઃ વિચારીએ તે આત્માના જ્ઞાનાદિ ગુણેાજ અધ્યાત્મ તરીકે કહી શકાય. સંયમ. આત્માની શક્તિયાને જણાવનાર અધ્યાત્મશાસ્ત્રોના કર્તાઓએ આત્મતત્ત્વના અનુભવ કરીને તે તે ખામતાને જણાવી આત્માના છે. આત્મતત્ત્વના અનુભવ કરવાનેમાટે ચોગીઓ એકાન્તસ્થાન સેવે છે. કઈ ગુફાઓમાં જઈને આત્મતત્ત્વનું ધ્યાન ધરે છે. કોઇ અષ્ટાંગયોગની સાધનપ્રણાલીકાવડે આત્મતત્ત્વનું ધ્યાન ધરે છે. પરભાવમાં જે જે આત્માની શક્તિયાનું પરિણમન થયું છે તેને, આત્મભાવે કરવી તેજ અધ્યાત્મક્રિયાના મુખ્ય ઉદ્દેશ હોય છે. માદ્યવડે ભાવમનની શુદ્ધિ કરીને રાગદ્વેષ દશાને ત્યાગ કરવા ઉત્તમ અધ્યાત્મજ્ઞાનીઓ પ્રયત કરે છે. આત્માની જે જે અંશે શુદ્ધિ થાય છે તે તે અંશે અધ્યાત્મતત્ત્વના પ્રકાશ થાય છે. જૈનધર્મના ફેલાવા કરવામાં અધ્યાત્મજ્ઞાનની અત્યંત આવશ્યકતા છે. એક વિદ્વાન મહાશય જણાવે છે કે, “અધ્યાત્મતત્ત્વના પ્રોફેસર, ધર્મના ફેલાવા કયા કયા ઉપાયાથી કરવા તે સારી પેઠે જાણતા હેાવાથી, તેઓ આત્માની શક્તિયાને તે તે ઉપાયોદ્વારા પ્રવ હાવીને ધર્મપ્રચારકાર્યમાં અત્યંત વિજયને મેળવે છે. ” આત્મતત્ત્વમાં વિશેષ ઉંડા ઉતરીને તેના અનુભવ કરવાથી પ્રત્યેક મનુષ્યેાના આત્માની પ્રવૃત્તિયાને અવધી શકાય છે. આત્માના શુભાદિ અધ્યા For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy