SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજપુત્રી સુમતિના હૃદયમાં બરાબર ઉતરી ગયાં અને તેથી તે રાજપુત્ર ભદ્રકને કહેવા લાગી કે, ભાઈ! આ બાબતમાં મહામાના વચન પ્રમાણે તે વ્યવહારકુશલ નહિ હોવાથી, બ્રહ્મજ્ઞાની હોવા છતાં પાંચ ખાસડાંને માર ખાય છે. જ્ઞાનીઓના અનુભવજ્ઞાનની વાતે અધિકારી જીવે આગલ કરવાની હોય છે. જે તે વ્યવહારકુશલ હેત તે હારી આવી દશા થાત નહિ, માટે હવે દુનિયાની રીતિ પ્રમાણે અંતર્થી ન્યારા રહીને વર્તવાની ટેવ પાડ, કે જેથી બ્રહ્મજ્ઞાનની હેલના ન થાય. અનધિકારીને પ્રાપ્ત થયેલા બ્રહ્મજ્ઞાનથી, બ્રહ્મજ્ઞાનનો લેકે તિરસ્કાર કરે છે અને તેથી બ્રહ્મજ્ઞાની ગાંડા જેવા દુનિયામાં ગણાય છે. રાજપુત્ર ભદ્રકના મનમાં પણ આ વાત ઉતરી અને તેણે પોતાની વ્યવહારઅનભિજ્ઞતાને દેષ જાણે લીધે. રાજપુત્રે મહાત્માને અને પિતાની ભગિનીને કહ્યું કે, હવેથી હું વ્યવહારમાં કુશલ થઈશ અને બ્રહ્મજ્ઞાનને તિરસ્કાર કરાવીશ નહિ. બીજા દિવસે રાજપુત્ર ભદ્રક, રાજની સભામાં ગયો અને રાજાને નમસ્કાર કરીને વ્યવહારમાં વ્યવહારકુશલતાથી વતને રાજાની માફી માગી અને પ્રારબ્ધને પ્રાપ્ત થએલ કાર્યોને બાઘની રીતિથી કરવા લાગે; તેથી રાજા તેના ઉપર ખુશ છે અને કહેવા લાગ્યું કે, ભદ્રક યુવરાજનું ગાંડપણ હવે ચાલ્યું ગયું અને તે ડાહ્યો થયો છે. તેને ખાસડાં મારવાનો હુકમ બન્ધ કરી દીધું અને રાજ્યમાં જાહેર કર્યું કે સર્વ પ્રજાએ યુવરાજની આજ્ઞા પ્રમાણે વર્તવું. યુવરાજ દુનિયાનાં કાર્યો દુનિયાના વ્યવહાર પ્રમાણે કરવા લાગ્યું અને વખત મળતાં બ્રહ્મજ્ઞાનને આનન્દ લેવા લાગે તેથી તે સુખી છે. - યુવરાજ ભદ્રક પુત્રનું દૃષ્ટાંત સાંભળીને અધ્યાત્મજ્ઞાનીઓ ઘણો સાર ખેચી શકે તેમ છે. અધ્યાત્મજ્ઞાનની વાત ગમારેમાં કરવાથી ગમારે અધ્યાત્મજ્ઞાન સમજી શકતા નથી અને ઉલટું તેઓ અધ્યાત્મજ્ઞાનીઓને ખાસડાને માર મારવા જેવું કરે છે. વ્યવહારકુશલ અને શુષ્કતારહિત અધ્યાત્મજ્ઞાનીઓ વ્યવહારમાં વ્યવહાર પ્રમાણે પિતાના અધિકારે વર્તે છે અને નિશ્ચયથી અધ્યાત્મ સ્વરૂપમાં રમણતા કરે છે તેથી દુનિયામાં તેઓ ડાહ્યા ગણાય છે. કેટલાક શુષ્ક અધ્યાત્મીએ વ્યવહારકુશલતાના અભાવે જ્ઞાનીની વાર્તાઓ ગમારેમાં કરીને અધ્યાભાાનની હાંસી કરાવે છે. વિશ્વાદિ નિત્ત પરિની પાસે જે વાર; Tv - વંત તે વાવી મવદન . શ્રીઉપાધ્યાયની આ વાણુને પરમાર્થ હૃદયમાં ધારણ કરીને અધ્યાત્મજ્ઞાનીઓ વર્ત તે અનેક મનુષ્યને તેઓ અધ્યાત્મજ્ઞાનને આસ્વાદ ચખાડી શકે. અધ્યાત્મજ્ઞાનીઓની સૂક્ષ્મ બુદ્ધિ હોવાથી તેઓ આત્મામાં ઉંડા ઉતરી જાય છે તેથી તેઓને ભ, ઉ, ૬ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy