SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૯ ) 66 श्रुत अनुसार विचारी बोलुं, सुगुरु तथा विधि न मिले रे, किरिया करी नवि साधी शकीये, ए विषवाद चित्त सघळे रे." पड़० ॥१०॥ શ્રીમદે શ્રુતના અનુસારે-તેવા પ્રકારના સુગુરૂ મળતા નથી એવું જણાવ્યું છે, તેમજ શ્રુતના અનુસારે ક્રિયા કરીને મેાક્ષમાર્ગ સાધી શકાતા નથી તેમ જણાવ્યું છે; તેથી એમ લાગે છે કે તેમને કોઈ સુગુરૂ દેખ્યા ન હોવા જોઇએ, અને શ્રુતાનુસારે ક્રિયાવડે મોક્ષમાર્ગની સાધના સાધી શકાતી ન હોય એવા તેમણે નિશ્ચય કર્યો હેાય તેમ લાગે છે, માટે તે સંમન્ધી શંકાના પરિહાર કરશે. સુગુરૂ-શિષ્ય ! ગુરૂકૂળવાસમાં રહીને જેણે સિદ્ધાન્તાને અને અધ્યાત્મ ગ્રન્થાના અભ્યાસ કર્યો છે એવા મહાજ્ઞાનીજ, શ્રીમદ્ આનન્દઘનજીના આયા કે જે વસ્તુતઃ સિદ્ધાન્તાથી અવિરોધી છે; તેને જાણવા સમર્થ થાય છે. શ્રીમદ્ આ ગાથાની પૂર્વની-આઠમી ગાથામાં જે સિદ્ધાંત દર્શાવે છે તે જો જાણવામાં આવે તે, તે શ્રુત અનુસારે જે બેાલ્યા છે તેને ભાવાર્થ અવબેાધી શકાય, તે માટે આઠમી ગાથા અત્ર લખવામાં આવે છે. चूरणी भाष्य सूत्र निर्युक्ति, वृत्ति परंपर अनुभव * " समय पुरुषनां अंग कह्यां ए, जे छेदे ते दुरभव्य रे. षड्० ॥ ८ ॥ સિદ્ધાન્તરૂપ પુરૂષનાં છ અંગ છે. પૂર્વધરષ્કૃત છૂટક પદની વ્યાખ્યાને ચૂણી કહે છે. સૂત્રોકતાર્થને ભાષ્ય કહે છે. ગણધરાદિકૃત સૂત્ર કહેવાય છે. ભદ્રબાહુ સ્વામી આદિ પૂર્વધરાએ સૂત્રોપર નિયુક્તિ કરેલી છે. સૂત્રો ઉપર વિશેષ અર્થવાળી વૃત્તિ વા ટીકા અવોધવી, અને ગુરૂઆની પરંપરાએ આવેલા એવે અનુભવ, એ છ અંગે માંથી કોઇપણ અંગનું જે છેદન કરે છે તે દુર્ભય જાણવા; આમ કથનારા શ્રીમદ્ આનન્દઘનજીએ પેાતાની પૂર્ણ શ્રદ્ધાના ખ્યાલ આપ્યા છે. સૂત્રની ટીકા ન માને તે તે દુર્ભવ્ય. સ્ત્રોપર ગુરૂપરંપરાએ ચાલતા આવેલા જે અનુભવ તેને પણ જે છેદે તે દુર્ભાગ્ય, ઇત્યાદિ થનારા શ્રીમન્ને શ્રુતના અનુસારે તે કાલમાં સુગુરૂ ન દેખાય ! એ તે આકાશ કુસુમવત્ અસત્ય અવોધવું. શ્રીમા થવાના અભિપ્રાય એવા છે કે, સિદ્ધાન્તાના અનુસારે વિચારી જોતાં-પૂર્વના જેવા સુગુરૂ દેખાતા નથી; કારણ કે તેવાં સંઘયણુ હાલ નથી, તેમ જ પડતા કાલ છે. હાલ ત અકુશ અને કુશીલ એ બે પ્રકારના નિગ્રન્થ ગુરૂએ વર્તે છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિકની અપેક્ષાએ-તરતમયેાગે ગુરૂ ગણાય છે, ભ. વિ. ૨૭ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy