SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાસાઓ લખવામાં સદુપયોગ કર્યો હોય એમ સંભાવના થાય છે. શ્રીયશોવિજયજી સમાન તેઓ કાવ્યરસ આણવાને કાવ્યોમાં સમર્થ થયા નથી તથાપિ તેમની પ્રવૃત્તિથી તેઓએ ઘણું કર્યું છે. તેઓએ ગૂર્જરભાષામાં અનેક રાસાઓ લખીને ગૂજરીમનુષ્પો પર ઘણો ઉપકાર કર્યો છે. ભાષાની ઉપકાર. ઉન્નતિ વિના દેશની અને ધર્મની ઉન્નતિ. " નથી ! તેઓએ ગૂર્જરભાષામાં રાસાઓ હાખીને ગૂજરાત અને ધર્મની અત્યંત પ્રગતિ કરી તેથી તેમને ઉપકાર ગુર્જરભાષા બોલનારાઓ પર ઘણો થયે છે અને તે સદાને માટે સ્મરણીય રહેશે. તેમના સર્વ રાસાઓ શુદ્ધ છપાઈને બહાર પડતાં તેમની વિદ્વતાને સાક્ષરોને વિશેષ ખ્યાલ આવશે. તેમના ઉપકાર તળે દબાયલી ગૂર્જર પ્રજા તેમને સહશઃ ધન્યવાદઆપે એ સદા સંભાવ્ય છે. આ સમયે તપાગચ્છ અને અન્ય ગોના પણ આચાર્યો કંઇક શિથિલ અવસ્થાને પ્રાપ્ત થયા હતા. પરસ્પર તે વખતની ધાર્મિક ગરછમાં સંપ ન હતે. વિદ્વાને ઘણા હતા, તથા વ્યવહારિક ગામેગામ સાધુઓને વિહાર હતે. જ્ઞાનાસ્થિતિ, વ્યાસ ઉપર સાધુની કાળજી વિશેષ હતી. ધર્મક્રિયામાં કંઇક શૈક્રિય પ્રવર્તતું હતું. દેશમાં અંધાધુધી પ્રવર્તતી હતી દિલ્હીમાં આજે બાદશાહ રાજા કરતે અને રજપુતોમાં તથા મુસલમાનેમાં ધર્માભિમાનથી કેટલાંક યુદ્ધ થયાં હતાં. જૈન ધર્માચાર્યોને અથવા અન્ય પણ ધર્માચાર્યોને આગજેબની સાથે ધર્મ સંબંધી પરિચય હેય એવું ધાર્મિક ઇતિહાસથી સિદ્ધ થતું નથી. અમદાવાદના પ્રસિહ નગરશેઠ શાતિહાસશેઠને ઔરંગજેબ સાથે કંઈક સંબંધ હોય એમ સિદ્ધ થાય છે. રાતિદાસ શેઠે ચરણપુરમાં For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy