________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી બીજા એક ધનેશ્વર નામના સૂરિ ૧૧૭૧ની સાલમાં થયા છે તેઓ “વિશાવાળ છીય” હતા. તેઓએ
નવલ્લભસૂરિકૃત સૂક્ષમાર્થસાર્ધશતકની ટીકા રચી છે, આશરે સંવત્ ૧૧૭૧માં.
વલભીપુરનું શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયમાં વિમળપુરી નામ હતું. ત્યાં ચંદરાજા પ્રેમલાલક્ષ્મીને પરણ્યા હતા અને તે શત્રુંજયની તલેટી કહેવાતી હતી. કેટલાક કાળ ગયા પછી વિમળાપુરીનું વલ્લભીપુર નામ પડયું. વલ્લભીના ભંગ થયા બાદ હાલ તે વળાના નામથી પ્રસિદ્ધ છે. અને તે દેશી સંરથાનમાં છે. શત્રુંજયમાહાઓમાં વર્ણવેલા ભાવડ અને જાવડના ચરિત્રથી તે વખતના રાજાઓની સ્થિતિનું ભાન થાય છે. હિન્દુસ્તાનમાં વિક્રમાદિત્યરાજાનું રાજ્ય હતું અને તેણે સીથીયનોને હરાવ્યા હતા તેથી તેનું નામ શકારિ તરીકે વિશ્વમાં પ્રખ્યાત ગણાય છે. વિક્રમાદિત્યરાજા કઈ સાલમાં થયે તત્સંબંધી “વિકમર્વશીય નાટકમાં” રા. કલાભાઇએ તથા રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે ઘણી ચર્ચા કરી છે. શત્રુંજય માહામ્યગ્રન્થની પ્રાને આપેલા વિકમ અને ભાવને સંબંધ વિચારાશે તે તેઓને વિક્રમની સાલના નિર્ણય સંબંધી ઘણું જાણવાનું મળશે. વિક્રમના સમયમાં સોરઠ, ગુજરાત, મારવાડ, માળવા, દક્ષિણ, પંજાબ, અફગાનિસ્તાન, ઈરાન, અરબસ્તાન, અને ગ્રીસ વગેરે દેશમાં જૈનધર્મ પ્રવર્તતે અને દેશમાં સર્વત્ર વેપાર વગેરેની જાહોજલાલી હતી એમ શિલા લેખે અને ગ્રંથથી સિદ્ધ થાય છે. આ પ્રમાણે
For Private And Personal Use Only