SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમાં ભરેલું લેતું સુવર્ણ થઈ ગયું. અઢાર વહાણે એનાથી ‘ભરેલાં તેના પ્રવેશ કાળેજ મહવા નગરીમાં આવ્યાં, તત્સ મયે ગામની બહાર વાસ્વામી મહારાજા પધાર્યા એવી એક પુરૂષે જાવડને વધામણી આપી. બાર વર્ષે પોતાને ઘેર વહાણ આવ્યાં અને એક તરફ ગુરૂમહારાજ આવ્યા તેમાં પહેલાં કોની પાસે જવું તત્સંબંધી જાવડશા વિચાર કરવા લાગ્યા. જાવડે વિચાર કર્યો કે “લક્ષ્મી ચંચળ છે અને પાપથકી ઉત્પન્ન થાય છે, મુનિ તે પુણ્યરૂપ છે તેમને નમસ્કાર કરવાથી આભવનું અને પરભવનું કલ્યાણ થાય છે ” એવો વિચાર કરીને જાવડશા પ્રથમ શ્રીવાસ્વામી મહારાજને વન્દન કરવા ગયા. શ્રીવજસ્વામીમહારાજે જાવડશાની આગળ સિદ્ધાચલપ્રભાવનું વર્ણન કર્યું અને જાવડને સિદ્ધાચલને ઉદ્ધાર કરવા પ્રેરણા કરી. જાવડશા સંઘ કાઢીને શ્રીસિદ્ધાચલ ગયા અને શ્રીવાસ્વામી ગુરૂની સાથે સિદ્ધાચલપર્વત ઉપર આરોહણ કરવા લાગ્યા. તે વખતે મિથ્યાત્વિદેવતાઓએ સિદ્ધાચલપર્વતને કંપા. શ્રીવાસ્વામીએ શાન્તિકર્મ કરીને અધમદેવતાઓને દૂર કર્યા. માંસ, મજજ, આદિ વડે યુકત પર્વતને દેખી સર્વનાં મન ખિન્ન થયાં. શ્રીજાવડે નદીનું પાણી મંગાવીને સિદ્ધાદ્રિનું પ્રક્ષાલન કર્યું. પતીત ભ્રષ્ટ અને ઘાસ ઊગેલા પ્રાસાદે દેખીને સંઘાધિપ જાવડ મનમાં ઘણું ખેદ પામ્યા. રાત્રી સમયે મિથ્યાત્વિદેએ પ્રભુની પ્રતિમા અદ્રશ્ય કરી પર્વતથી હેઠળ ઉતારી. એકવિસ વખત જાવડશાએ પ્રભુની પ્રતિમાને સિદ્ધાચલ For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy