SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -અના)નું બળ પધિપુરની પેઠે પૃથ્વમાં વ્યાપ્ત થયું અને તેઓએ ગો-ધન-ધાન્ય-બાળ–સ્ત્રી વગેરે લઈને પિતાના દેશમાં ગયા. જાવડ અનાર્ય દેશમાં ગયા ત્યાં પણ જિનેશ્વરનું દેરાસર બંધાવ્યું અને પિતાની જાતિ એકત્ર કરી. આર્ય અને અનાર્ય દેશમાં વિહાર કરતા મુનિવરો જ્યાં જાવડ હતા ત્યાં આવ્યા અને ધર્મવ્યાખ્યાન સમયે સિદ્ધાચલનું માહાસ્ય વર્ણવ્યું. “પાંચમા આરામાં જાવડ નામને શેઠ સિદ્ધાચલને ઉદ્ધાર કરશે” એવું મુનિયે કહ્યું તે સાંભળીને જાવડ શેઠે કહ્યું કે “તે શેઠ હું કે અન્ય મુનિયે ઉપયોગથી તેમનું નામ જણાવ્યું. જાવડે મનમાં અત્યંત પ્રેમ ધારણ કર્યો અને પિતાના ઘેર જઈને ચકેશ્વરીનું માસિક તપથી આરાધન કર્યું. ચકેશ્વરી માસાન્ત પ્રગટ થઈ અને જાવડને કહેવા લાગી કે તું “તક્ષશિલા (ગિઝની) નગરીમાં જઈ ત્યાંના રાજા જગમલની પાસેથી ધર્મચકના અગ્રમાં રહેલું અરિહંતનું બિંબ લાવ.” જાવડશાએ હૃદયમાં ચકેશ્વરીનું ધ્યાન ધરી તક્ષશિલા નગરીમાં જઈને ત્યાંના જેની રાજા જગન્મલને સર્વ વૃત્તાંત કહી ધર્મચકની પાસે ગમન કરી, ધમચકને ત્રણ પ્રદક્ષિણે દઈ બાષભદેવ ભગવાનનું બિંબ લાવ્યા. પંચામૃતવડે પ્રભુની પ્રતિમાને સ્નાન કરાવી પૂજીને ઉત્સવપૂર્વક નગરમાં લા. પ્રતિમા લાવતાં મિથ્યાદષ્ટિ દેવતાઓએ અનેક ઉપદ્રવ કર્યા પરંતુ તે સર્વ ભાગ્યના ઉદયથી દૂર થયા. જાવડ મહુવામાં આવ્યું એ વામાં તેને વહાણો મહાચીન, ચીન, અને ભેટ વગેરે દેશમાં વેપારાર્થે ગયાં હતાં, તેઓ વાયુવાશથી દરિયામાં પરિભ્રમણ કરતાં કરતાં સુવર્ણદ્વીપમાં પહોંચ્યાં અને અગ્નિના દાહથી For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy