SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિવસ લાગે અરિ સરખે, નિશા લાગે અરિ સરખી વખત પણ જાય નહી કેમે, પીડે સુખ સૂત્રને ચરખી. ૬ હરાયે નહી ફરાયે નહી, જવ નહી હવા લેવા - સ્મરાયે નહી વિચારો, સમય શાન્તિ તણું કેવા. ૭ પદે હસ્તે વિષે પીડા. નયનમાં આંસુની ધારા, હૃદય ગભરાય શિરમાં તે, પડે છે ત્રાસ રે પ્યારા ! ૮ સમજ લે જીવડા જાતે, થવાનું તે થવા દેને, વિચારોના તરંગને, જતા માર્ગે જવા દેને. ૯ ઉપાધિ વ્યાધિના વનમાં, મળે નહી શાન્તિનું પાણી, જુલમ કારી વિચારે તે, પીલે જયમ તીલને ઘાણ. ૧૦ પિતા બ્રાતાજ રાગીને, ગુરૂ મિજ ત્યાગી ને; પથારી પાસે આવીને, ઉદાસી ઉર લાવીને. લગાવે હસ્તને શિરપર, વળી કઈ ઈતર અંગે, સખત છે વેદના કહેતા, ધવળ હર્ષ ની લાગે. જઈ એકાન્તમાં ગેષ્ઠિ, મળી સવે ચલાવે છે; જઈ કઈ દવા લાવે, તથા કઈ વૈદ્ય લાવે છે. ૧૩ વદે કોઈ ઉતારને, નજર તે લાગી છે વસમી; તથા બીજા વદે છે કે, પિશાચી ચોટ લાગી છે. ૧૪ વળી કાંઈ નથી બીજું, કરમને વાંક બતલાવે; ઘણાં બે રૂડું થાશે, પ્રભુની મહેર દર્શાવે. ૧૫ For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy