________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મનું આરાધન કરતાં સઘળા ધર્મનું આરાધન થાય છે. કહ્યું છે કેजिनवरमां मघळां दर्शन छ, दर्शने जिनवर भजनारे, सागर मां मघळी तटिना साह, ताटेनीमा सागर भजनारे. पर। દુનિયામાં અનેક પંથમાં જે કંઈ સત્યને અંશ છે. તે જૈન ધર્મના જ્ઞાનથી જાણતાં ધર્મની મારામારીમાંથી જેનધમ દૂર રહે છે, ધર્મના નામે અનેક મનુષ્યને નાશ કરીને પિતાને ધર્મ ફેલાવ, એમ પાપી પુરૂષેની માન્યતા છે, અન્યધર્મવાળાઓમાં આવા ઘણા દાખલા મળી આવે છે, પણ જેનધર્મ તે સત્ય પ્રકાશથી એમ કહે છે કે, અન્યધમિ ઉપર દ્વેષ ચિંતવ નહિ, અન્ય ધર્મ પાળનારા એને મારવા નહિ. મનથી પણ અન્યધર્મવાળાઓનું ભૂંડું ચિંતવવું નહીં, તન, મન, ધનથી તેમને હાય આપવી અને તેમના આત્માને બધિ બીજની પ્રાપ્તિ કરાવવી જેઈએ. અન્ય ઉપર આવી મિત્રીભાવનાથી ઉપકાર કરતાં અવળી દષ્ટિથી તેમને અપ્રીતિ થઈ હોય તે તે પણ ખમાવું છું, આજ સંવત 1994 ની સાલનું માણસાનગરમાં સંઘ, સમક્ષ સાંવત્સરિક પ્રતિક્રમણ કરતાં સર્વ જીવોની સાથે આ પ્રમાણે ક્ષમાપના કરું છું, અને સર્વ જી પણ મૈત્રીભાવમાં જોડાઈને ક્ષમાપના કરશે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવકારૂપ ચતુર્વિધ સંઘને ખમાવું છું, અનેક ગચ્છના ભિન્નભિન્ન સાધુઓ તથા સાધ્વીઓ વિગેરેને પણ જે કંઈ મારા વિચાર ભાષણ અને આચારથી અપ્રીતિ, દ્વેષ, પરિ. તા૫, ઉપદ્રવ થયો હોય તે સંબંધી ખમાવું છું, અને તમે પણ ખમશે. હે સદ્દગુરૂ મહારાજા! આપના પ્રતિ પણ મારા શિષ્યધર્મ પ્રમાણે બરાબર ન વ હોઉં તથા અપ્રીતિ ઉપજાવી હોય–આશાતના કરી હોય તે ખમાવું છું, આપ પણ ખમશે. હે શિષ્ય! તમને પણ હું ખમાવું છું, તમને ભણાવતાં-ગણાવતાં, ઉપદેશ દેતાં, શિક્ષા For Private And Personal Use Only