________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરતા ન કરવાથી તે ઉપકાર કરવા કરતું નથી. કારણ કે જે લેકે કુપથમાં પડેલા છે તેમના ઉપર અરૂચિ કરવાથી તે કંઈ સુપંથમાં આવતા નથી. પણ તેમના ઉપર પ્રેમદષ્ટિથી ઉપકાર કરવાથી ભવિતવ્યતા ગે સુપથમાં આવે છે. જો કે તેઓ મિથ્યાત્વના યોગે કુપંથમાં છે પણ તેઓનું મૂળ સ્વરૂપ સિદ્ધના સમાન છે. તેથી તે સિદ્ધ સમાન છે. તેમના પ્રતિ શુદ્ધ નિશ્ચયદષ્ટિથી જોતાં તેઓ સિદ્ધ સમાન છે, તેમના આત્માનું શુદ્ધ સ્વરૂપ મારા ઉપગમાં સેયપણે પ્રતિભાસે છે તેથી હું કર્મથી રહીત બનું છું. અને તેઓને પણ શુદ્ધ દષ્ટિ માહાયથી સમાગમમાં આવતાં લાભ પણ થાય છે, તેમના ઉપર કરૂણ રહે છે. મારૂં જેવું શુદ્ધ સ્વરૂપ છે તેવું અન્ય જવાનું પણ શુદ્ધ સ્વરૂપ છે. એમ ભાવના ભાવતાં કોઈના ઔદયિક ભાવના દેષ ઉપર મારી દષ્ટિ પડતી નથી. અને તેથી દોષાકાર મારું મન થતું નથી. તે પણ એક સંવરનું સ્વરૂપ મારા અનુભવમાં આવે છે, આવી મૈત્રી ભાવનાને પ્રતિદિન અભ્યાસમાં મૂકવાની મારી દઢ પ્રતિજ્ઞા છે, મિત્રીભાવના મારા આત્માને નિર્મલ કરે છે. તેમ તે સર્વજીને નિર્મલ કરે છે. ગજ કુમાલ મિસ્ત્રી ભાવના ભાવીને સદ્ગતિને પામ્યા, મેતાય મુનિરાજ પણ મિત્રીભાવના ભાવીને સદ્ગતિને પામ્યા, મિત્રીભાવના ભાવતા એવા અનંત છે મુક્તિપદને પામ્યા. પામે છે. અને પામશે. જેને ધર્મનું પૂર્ણ જ્ઞાન થતાં સર્વ ધર્મમાંથી સાપેક્ષનય બુદ્ધિથી જીવ સારાંશ ખેંચી લે છે. અને જે વિષય અસત્ય હોય તે ઉપર માધ્યસ્થભાવ ધારણ કરે છે, શ્રી કૃષ્ણભગવાન કે જે આવતી ચોવીશીમાં તીર્થકર થવાના છે, તે કૃષ્ણ ભગવાન શ્રી નેમિનાથ ભગવાનને ઉપદેશ સાંભળી જૈન ધર્મ પામ્યા હતા. તેઓની ગુણ દ્રષ્ટિ થઈ હતી. તે પણ જૈનધર્મના જ્ઞાનના પ્રતાપે જ સમજવું, જિન દર્શન આરાધન કરતાં સઘળાં દર્શનનું આરાધન થાય છે, For Private And Personal Use Only