SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રતાની પ્રાપ્તિ માટે હે ભવ્યાત્માએ અનંત શક્તિ ખીલવે, પ્રતિદિન અભ્યાસથી આત્માની શકિત ખીલે છે, જે જે આત્માઓ સદ્દગુરૂગમ પામીને અભ્યાસ કરે છે. તે તે આત્માઓ શક્તિ ખીલવી શકે છે. બીજના ચંદ્રની પેઠે આત્માની શક્તિ ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામે છે–સંપૂર્ણ કલાથી વૃદ્ધિ પામીને આત્મા લોકાલોકમાં સદાકાળ પ્રકાશ કરશે, અન્ય દેવતાઓને સાધીને વશ કરવામાં જેટલે પ્રયત્ન કરો છે. એટલે પ્રયત્ન આત્મદેવની આરાધનામાં થાય તે કઈ બાબતની ખામી રહે નહીં. ચમત્કારનું ઘર આત્મા છે, આત્માની શક્તિ આગળ કોઈનું કંઈ ચાલતું નથી, આત્મશક્તિનો પ્રકાશ કરનાર ગિરાજને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. જેને પુરૂષે ચમત્કાર દેખાડે છે, તે તે પુરૂષે આત્મશક્તિના કેઈ પણ અંશથી ચમત્કાર દેખાડે છે. ચમત્કાર ત્યાં નમસ્કાર. આ નિયમની ખાત્રી આત્મશક્તિપ્રકાશથી થાય છે, આત્મશક્તિની શ્રદ્ધાવાળાને આ બાબતને અનુભવ થાય છે. આત્મશક્તિ શ્રદ્ધાથી સંયમમાર્ગમાં ઝટિતિ પ્રવેશ થાય છે, ધ્યાનગનિસપુરૂષોના સમાગમથી આત્મશક્તિની શ્રદ્ધા વૃદ્ધિ પામે છે, જ્યાં સુધી આત્મશકિતની પકવ શ્રદ્ધા થઈ નથી અને તેને પક્વ અનુભવ થયો નથી ત્યાંસુધી યેગીન્દ્રપુરૂષની સંગત છોડવી નહિ, ખરેખર ખત્રી રાખશે કે સર્વ શક્તિનું ગૃહ આત્મા છે. સર્વ સાધનથી સાધ્ય આત્મસ્વરૂપ કરવાનું છે, બારભાવના, ચારભાવના, પંચમહાવ્રત શ્રાવકનાં બારવ્રત, જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિથી સાધ્ય આત્મા જ છે. આત્મજ્ઞાનથી આભાનું અજ્ઞાન નાશ પામે છે, ભણવું, ગણવું આદિ કિયાથી જે આત્મજ્ઞાન ન થયું તે ભણવાની ક્રિયાનિષ્કલ છે,–વર વિનાની જાન જેમ શેભતી નથી. અને લુણવિનાનું ભોજન જેમ નકામું છે તેમ આત્મજ્ઞાન વિના ભણ For Private And Personal Use Only
SR No.008507
Book TitleAdhyatma Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1903
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy