________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 181 છીએ પણ તે મનના વશી પામર જેવી દશા ગાળે છે તે વાત તેઓ ભૂલી ગયા છે, અનંત શક્તિવાળા આત્માઓ કર્મના વેગે પરતંત્રતાની બેડીમાં પડેલા છે, પરતંત્રતાની બેડીમાંથી છટકવાના અનેક ઉપાયે ગુરૂમહારાજા બતાવે છે. જે સદગુરૂના વિશ્વાસથી સદુપાયે સેવે છે, તે કમરૂપ બેડીને નાશ કરી સ્વતંત્ર થાય છે, સ્વતંત્રતા થઈએક ઠામમાં કરે છે તેને કઈ જાતની ઈચ્છા પ્રગટતી નથી. એવી અવસ્થામાં તે સિદ્ધ કહેવાય છે, તેવી સ્વતંત્ર અવસ્થા મેળવે. આત્મશક્તિ પ્રકાશ કરવાનાં ઘણું પુસ્તક વાંચીએ છીએ. સાંભળીએ છીએ. ત્યારે મનમાં એમ આવે છે કે સર્વ શક્તિને પ્રકાશ થાય તે સારૂ. પણ વાંચ્યા અને સાંભળ્યાબાદ આત્મશક્તિને પ્રકાશ કરવાને કંઈપણ કરવામાં આવતું નથી. આત્મશકિતને પ્રકાશ કરવા માટે પ્રતિદિન ઉચ્ચભાવના રાખવી, અન્તર્મુખતા રાખવી. પરમાત્મભક્તિમાં લીન થવું, ઉપાધિને નાશ કર, સમભાવ રાખ, ઈત્યાદિ ઉપાયને આચારમાં મૂકવામાં આવે તે અંતે સર્વ શકિતને પ્રકાશ થાય છે, સતત ઉદ્યમના બળથી અનેક કાર્યની સિદ્ધિ થાય છે, અનેક મહાત્માઓએ સદુપાયેથી સર્વ શક્તિ પ્રગટાવી છે, હાલ પણ પ્રગટે છે, અને ભવિષ્યમાં પ્રગટશે, આત્મા ધારે તે કરી શકે છે, આત્મપ્રયાસ જેના સન્મુખ થાય છે તેની તે સિદ્ધિ કરે છે, ભાગેલા ટાંટીએ, રેતા મુખે સદુપાયેને સેવવામાં આવે તે આત્મશક્તિએને પ્રકાશ શી રીતે થઈ શકે, આત્મત્સાહ, આત્મપ્રેમ અને ધર્યથી સદુપાને સેવવા જોઈએ. સદુપાથી સર્વ શક્તિ પ્રગટ થશે, સમતાનાં ફળ મીઠાં છે, હળવે હળવે સર્વ થશે. વડના બીજથી એકદમ કંઈ વડનું વૃક્ષ મોટું થતું નથી, હળવે હળવે થાય છે, પૂર્વભવને ઉદ્યમ હોય તે આ ભવમાં વિશેષ સહાય મળે છે. કેઈ માણસે એક તિદિન ઉર. થતા રાખવી. ઉલ, ઉપાધિને For Private And Personal Use Only