SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તરમાં સ્થિરતાથી જેમ અતિ શુદ્ધ રહી છે સ્થિતિ છે, આવી આત્મશક્તિ આત્મામાં ગુપ્ત રહી છે, અરણિકાષ્ટનું મથન કરતાં જેમ અગ્નિ પ્રગટ થાય છે તેમ આત્મધ્યાન સ્થિરતાથી અનંત વીર્ય શકિત પ્રગટ થશે. અં. તરમાં શેળે. આત્મશ્રદ્ધાથી સ્વસ્વરૂપમાં સ્થિર રહે. હે આત્માઓ! પર પુદ્ગલ દશાના ગે તમે પરતત્રતાની બેડીમાં પડી છે, અને તેથી સંસારી કહેવાઓ છે, પરપુદ્ગલ રમણતાના યોગે અનંત અનંત કર્મની વર્ગણુઓ સમયે સમયે ગ્રહણ કરે છે, અને તેથી ચેરાશીલાખ જીવનિમાં અનંતિવાર ભટકવું પડયું. હજી પણ ભવ્યાત્માઓ ચેતે. ગયા વખત પાછા આવનાર નથી, આજ કાલ કરતાં આયુષ્ય ખુટે છે, પરતંત્રતાની બેડમાં રાજા રાણ બાદશાહ અકવતિ સુરપતિ પણ પરતંત્ર છે. સ્વતંત્રનથી, જ્યાં સુધી પિતાના આત્માને સ્વામી કર્યાનથી, ત્યાં સુધી ચકવતિ સુરપતિ પણ અનાથ છે, રાગદ્વેષરૂપ મહામલેએ આમાને કબજે કર્યો છે. એવા ભલે, શેઠ, રાણા, બાદશાહ કહેવાઓ, પણતેઓ પરભાવમાં વિશેષમગ્ન હોવાથી વિશેષ પરતંત્ર છે. કેદમાં પડેલા મનુષ્ય જેમ પરતંત્ર છે તેમ રાજા પણ પરતંત્ર છે પંચેન્દ્રિયની પરતંત્રતા જે ભગવે છે તે કદી સુખી હતાનથી, ઈન્દ્રિયોના આધીન જેનું સુખ છે તે પરતંત્ર કહેવાય છે. વિક૯પસં૫વાળા મનના કબજામાં જે પડેલા છે તે પણ બહુપરતંત્ર છે, ચારગતિમાં પરિભ્રમણ કરાવનાર મન છે. મૂળ વાનરના કરતાં અતિ ચંચળ મન છે અને તેને મેહરૂપ દારૂ પાયે, અને તેને સ્વેચ્છારૂપ નિસ્સરણી આપી ત્યારે તે કુદવામાં ખામી રાખે નહીં એવા મનના વશમાં રહેલા શેઠીયાએ રાત્રીદીવસ હાયવરાળ કરે છે, દોડે છે, ભમે છે, હસે છે, રૂવે છે ખુશી થાય છે, વળી તેવા ચંચળ મનના તાબે રહેનાર રાજાઓ, દેદેડા કરી મૂકે છે, અભિમાનના છાકમાં યદ્વાલદ્વી લે છે. પ્રજાઉપર અનેક પ્રકારના જુલમ કરે છે. માંસ ખાય છે, અને જાણે છે કે અમે સ્વતંત્ર For Private And Personal Use Only
SR No.008507
Book TitleAdhyatma Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1903
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy