________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 17 નથી. માટે રજોગુણ અને તમોગુણથી દૂર રહી સાવિકગુણથી આત્મોન્નતિ કરવામાં કોઈ જીવની લાગણી દુઃખવવાને પ્રસંગ આવતું નથી. રજોગુણ અને તમે ગુણથી પિતાના આત્માની હિંસા થાય છે. અને અન્યાત્માએની પણ હિંસા થાય છે. હિંસા કરવાને પણ વિચાર અશુભ હેવાથી પોતાના આતમાની અવનતિ કરે છે. અશુભ વિચારથી પાપ થાય છે, અને શુભવિચારથી પુણ્ય થાય છે, માટે પ્રેમી આત્માઓ અશુભ વિચારથી દૂર રહો. ઉન્નતિ ખરેખર તમારા વિચારમાં સમાઈ છે. સ્વાર્થ અને સ્વચ્છ દી ખરાબ વિચાર કરવાથી પિતાને આત્મા દુઃખની સ્થિતિમાં આવી પડે છે. તેથી પિતાના આત્માની દયા થઈ શકતી નથી તેમજ અન્ય સંબંધી ખરાબ વિચાર કરવાથી પણ આત્મા દયાધર્મનું સેવન કરી શકતે નથી. હે જીવ મિત્ર ! તમે જાપ જપ, આંખ મીચી ધ્યાન કરે. પ્રભુદશનપૂજન કરે. પણ તમે જ્યાં સુધી સર્વ જીની સાથે મિત્રીભાવ ધારણ કર્યો નથી ત્યાં સુધી પકત અનુષ્ઠાન યથાયોગ્ય સફલ થઈ શકતાં નથી માટે તાજપ કરતાં પણ મિત્રીભાવની ખાસ આવશ્યકત્તા છે. હે મિત્રજી ! તમારો આત્મા જે જે કારણોથી દુખ પામે છે, તેજ પર આત્મા પણ તે તે કારણથી દુઃખ પામે છે માટે પરના પ્રાણને દુઃખવવાને સંક૯પ તથા વર્તન સ્વપ્નમાં પણ થાય નહિ તેવું મિત્રીભાવવાળું સવર્તન સતત કરશે, કર્મસંગે અનાદિકાળથી પરિભ્રમણ કરતા એવા લેખકના દેહ સ્થિત આત્માએ જેને દુઃખ થાય એવું કાર્ય કર્યું હોય તેને પુનઃ પુનઃ ક્ષમાવે છે. હે જીવમિત્ર ! તમે સમજશો કે નાના અને મેટા શરીરમાં સંકેચ વિશ સ્વભાવવાળો અસંખ્યપ્રદેશી. For Private And Personal Use Only