SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પલિક છે. તેમાં તમારું સ્વરૂપ નથી તમો જ્ઞાનદર્શનચારિત્રમય અસંખ્યપ્રદેશમય વ્યક્તિ છે, તમે મન-વાણું કાયાથી ભિન્ન છે, માટે બાહ્ય પલિક પ્રદેશમાં વર્તતાં છતાં પણ અન્તર સ્વરૂપથી અત્તરમાં વતે. - તમારી આત્મશક્તિને પ્રકાશ તમેજ સવસામ ઐથી કરી શકશે, મનુષ્યાવતાર-દેવાવતાર પણ તમારા સામચ્યાધીન છે. માટે ભાવીભાવ હશે તેમ બને એમ બોલી ઈંસ જેવા ઢીલાઢ૫ થઈ આત્મસામર્થ્યપ્રકાશપ્રયત્નને છોડશે નહિ. તમે હિંદુ, મુસલમાન, પારસી, અંગ્રેજ, જાપાનીઝ, ચીનાવિગેરે ગમે તે હે; પણ તમારા પ્રત્યેકના શરીરમાં રહેલો પ્રત્યેક આત્મા જ્ઞાનાદિગુણથી એક સરખે છે માટે પરસ્પર સમાનભાવ રાખ. એક બીજાની દયા કરવી તે પણ એક સામાનધર્મથી, તમે એક બીજા ના નજીકના છે છતાં કેમ તમે પરસ્પર ઈષ્ય, વિર, જાત્યાભિમાનની મિથ્થા લાગણીથી પરમાત્મસ્વરૂપ આત્માઓનું અનિષ્ટ કરવા અશુભ વિચાર કરે છે, હિંસા કરે છે, એક બીજાને મારી નાખવા કેમ પ્રયત્ન કરે છે, કઈ પણ પશુ, પંખી, મનુષ્યની આંગળી કાપવાને તમને તમેએ માનેલા કેઈ પણ ઈશ્વરે શું હુકમ આપે છે? વિચાર કરે. વિચાર કરે, વિચાર કરેકથી માંડીને ઈન્દ્રપર્યંતના આત્માઓ એક સરખા છે; તમને કઈ દુઃખ આપે તે જેમ દુઃખ થાય છે તેમ તમે અન્યજીને મારે છે, સંતાપ છો. તે તેથી તેમને દુઃખ થયા વિના રહેતું નથી. તમારે અન્તરાત્મા અન્યજીને દુઃખ આપતાં પ્રથમ વારે છે તેને તમે વિચાર કરે. કેઈના પણ આત્માને દુઃખ આપવું તે તમારા આત્માને દુઃખ આપ્યા બરોબર છે સર્વજીવે તમારા બધુ છે. તમારા સમાન છે. કર્મથી પ્રત્યેક જીવોનાં શરીર ભિન્ન ભિન્ન રચાયાં છે. આત્માની મિત્રા શરીરના સંબંધથી નથી. દેશના સંબંધથી નથી, For Private And Personal Use Only
SR No.008507
Book TitleAdhyatma Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1903
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy