SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ-ગુરૂરાજ કુબોધ નાશ કરે છે, અને આ ગમના અર્થને જણાવે છે. તેમજ દેવગતિ અને મનુષ્યગતિની પ્રાપ્તિ પુણ્યથી થાય છે એમ જણાવે છે. અને નરક, તિર્યંચની ગતિમાં પાપથી જવાય છે, એમ જણાવે છે. અમુક કૃત્ય છે અને અમુક અકૃત્ય છે એમ શિષ્યને ગુરૂજી સમજાવે છે, માટે સંસારરૂપ સમુદ્રમાં આગબોટસમાન ગુરૂવિના અન્ય કેઈ નથી, આત્મજ્ઞાનના આપનાર સદગુરૂ મુનિરાજને ઉપકાર કદી વાળી શકાય તેમ નથી. શ્રીયશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે–સમકિતદાયક ગુરૂ તણે, પશુવયાર ન થાય, ભવ કેડા કેડી કરે, કરતાં કેડી ઉપાય. સમકિત દાન આપનાર શ્રીસશુરૂને કોઈ પણ રીતે પ્રત્યુપકાર (સામો ઉપકાર) થઈ શકતું નથી. કેડા કેડી ભવમાં કરોડો ઉપાયે કરતાં પણ ગુરૂને બદલે વાળી શકાતું નથી, સર્વ દાનમાં જ્ઞાનદાન મેટું છે. આ તમાને આત્મજ્ઞાનથી અભયપદ મળે છે. માટે આત્મજ્ઞાનનું દાન તે અભયદાન કહેવાય છે. અભયદાનના બે ભેદ છે. 1 દ્રવ્ય અભયદાન. 2 બીજું. ભાવ અભયદાન. પરના પ્રાણ બચાવવા. તે દ્રવ્ય અભયદાન કહેવાય છે. અને પરને સમકિત વિગેરે આત્મગુણોનું અપણ કરવું તે ભાવે અભચદાન કહેવાય છે. દ્રવ્ય અભયદાન કરતાં ભાવ અભયદાન અનંતગણું વિશેષ ઉપકારક છે. આત્મજ્ઞાનરૂપ ભાવ અભયદાનના દાતા શ્રી સદગુરૂને અવશ્ય ઉપકાર છે જ્યારે ગુરૂરાજ આ પ્રમાણે મહાઉપકારી છે તે તેમની ભક્તિ અવ શ્ય કરવી જોઈએ. શ્રી સદ્ગુરૂ સમાન કઈ જગમાં ઉપકારક નથી કહ્યું છે કે-દેવગુરૂ દેનું ખડે, કિસ લાગું પાય; બલિહારી ગુરૂદેવની, જેણે તવબતાય, ગુરૂ દેવને ઉપકાર શિષ્ય વાળી શકતા નથી, માતાપિતા કરતાં પણ સદ્ગુરૂ અનંત ઘણા ઉપકારી છે, કારણ કે માતપિતા જગમાં બાહ્યથી ઉપકારી છે, એમને ઉપકાર સદાકાળે સુ For Private And Personal Use Only
SR No.008507
Book TitleAdhyatma Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1903
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy