SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 110 શ્રદ્ધાને સંપૂર્ણ જાગ્રત રાખી ખંતથી, ઉદ્યમંવત રહેનારાજ કલ્યાણ કરી સકશે. પુન્ય અને પાપ તે શુભ અશુભ, સત્ય અસત્ય ઉદ્યમનું જ ફળ છે. ઉદ્યમથી જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે. તીર્થકરપણું–અંતે છેવટે મોક્ષપણું પણ-ઉદ્યમથી જ પ્રાપ્ત થાય છે. બેશક તે શુભ અને સતતુ ઉગ જ હેવો જોઈએ; માટે જે દિશા તરફ જવું હોય તે તરફ પ્રયાણ કરે તે ધારેલ સ્થાન જલદી આવશે. ઉલટી દીશાએ જઈએ તે ઉલટું તે સ્થાન દુર જ જાય. એ રીતે જોવે છે આત્મમાર્ગ અને જવું છે શાન્તલે, ત્યારે કામ તેના વિરૂદ્ધ નાં કરે તે શાત સ્થલ ક્યાંથી મેળવાય.? ' ખાવાપીવાની ફરવા હરવાની, મોજશોખ કરવાની, નાટક ચટક આદી જેવાની અને તેવા જ વ્યવહારનાં બીજા અસંખ્ય કામે કે જે ઉલટી દીશાએ લઇ જનારાં છે તે માટે ફરસુદ મેળવે, તેમાં જ મગ્ન રહે, અને પુન્ય ઉપાર્જનાદીક કાયે ન કરે, તે પછી ખરા માર્ગે ચાલે છે તેમ કોણ કહેશે! વિદ્યા, જ્ઞાન, શાસ્ત્ર, જ્ઞાનીઓ, તત્વવેત્તાઓ ઉત્પન્ન થવા એ સર્વેનું મૂળશું છે ? આત્મા, આત્મા, અને આત્મ શ્રદ્વાજ છે, અને તે વિચાર કરનારને નિશ્ચય થયા વિના નહી રહે, આત્મશક્તિ માટે બંધુઓ, તીર્થકરેનાં ચરીત્ર અહનીશ સાંભલનારાઓને વધુ કહેવા જરૂર રહેતી નથી. છતાં શક્તિ અનુસાર મહાત્માઓ જે કંઈ કહે છે તે જણાવવાની જરૂર જોઉં છું નાનું બાળક શરૂઆતમાં એકડે શીખતાં 6 માસ કાઢે અને તે જ બાળક થોડા સમયમાં એક જસ્ટીસ યા બારીસ્ટરની પદવી મેળવે છે એ શક્તિ કયાંથી નીકળી? શું એકડે ભણતી વખતે તમેએ તેમ ધાર્યું હોય છે ! નહી જ. ત્યારે કહેવું પડશે કે આત્મશક્તિ અનંત છે, પણ પ્રગટ જવાળા સમય For Private And Personal Use Only
SR No.008507
Book TitleAdhyatma Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1903
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy