________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 111 છે. મનમાં અનેક પ્રકારના સંક૯૫ વિક૯૫ ઉઠે છે; અનેક પ્રકારની વાસનાઓ અને વિચારે જાગૃત થાય છે. દુનિયાના વિવિધ પદાર્થોને લીધે આ રીતે મન અસ્થિર બને છે. પણ મન તે આત્મા નથી એ વિસરવું જોઈતું નથી. મનની અંદર ઉત્પન્ન થતા આ તરશે અને વિકારે ખરા આમાને જરાપણ અસર કરી શકતા નથી. મનરૂપી સમુદ્રમાં ગમે તેવા ઉછાળા અને કલેલે ઉત્પન્ન થાય, પણ ખડક ઉપર રહેલા આત્માને તે અસર કરી શકતા નથી. આત્મા સ્વભાવે જ આનંદમય અને શાંત છે. મન, દેહ અને ઇન્દ્રિયે રૂપ પિતાનાં સાધને સાથે પિતાની અકયતા તે અજ્ઞાનથી સ્વીકારે છે અને તેથી તે દુઃખ અનુભવે છે. પણ આ અઠાસ છુટી જાય, અને પોતે જે પિતાનું ખરૂં સ્વરૂપ સમજતો થાય, તે પછી ઉદ્વેગ કરનારાં કારણેની તેના ઉપર જરા સરખી પણ અસર થઈ શકશે નહિં. મારાપણને ભાવ–મમત્વ એજ દુઃખનું કારણ છે. તે ઉપર એક ટુંક દ્રષ્ટાન્ત નીચે પ્રમાણે છે. એક માણસ પોતાના બે વર્ષના એક નાના પુત્રને અને સ્ત્રીને મુકી અમદાવાદથી મુંબાઈ ગયે હતો. તે વાતને બાર વર્ષ વીતી ગયાં. સ્ત્રીએ અનેક કાગળ લખાવ્યા પણ મુંબાઈથી તે આવ્યું નહિ. ત્યારે સ્ત્રીએ એવું કાગળમાં લખાવરાવ્યું કે જે તમે હવે નહિ આવે તો આ તમારા પુત્રને તમને તેડવા સારૂ મુંબાઈ મેકલીશ. આ કાગળને પણ ઉત્તર ન મળે. એટલે તે સ્ત્રીએ પિતાના પુત્રને ગાડીમાં બેસાર્યો, અને તે જ દિવસે તે પતિ પણ ઘણા કાગળના બળથી, તેમજ પિતાના પુત્ર અને સ્ત્રી ને મળે ઘણાં વર્ષ થયેલાં હોવાથી, મુંબાઈથી ગાડીમાં બેઠે. તે વખત અમદાવાદથી ટ્રેઈન સીધી મુંબાઈ જતી ન હતી, પણ સુરત અટકતી હતી. તેથી બને ટ્રેઈને સુરત આગળ મળી. બન્ને ભેગેજેગે એકજ ધર્મશાળામાં રાત્રિ રહ્યા. અને એક બીજાને ઓળખતા નહતા. કારણકે તે For Private And Personal Use Only