________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 110 અનુચિત છે. પાંચ ઇન્દ્રિયના વિષયમાં સુખ તે રહેલું છે. પણ તે સુખ ક્ષણિક છે તેને વધારે ઉપગ દુઃખગર્ભિત છે, અને તે સુખ મળ્યા પછી પણ બીજા સુખની ઈચ્છા રહે છે. આ ત્રણ કારણને લીધે ઇન્દ્રિયના વિષયેને શાસ્ત્રકારોએ સુખરૂપ માન્યા નથી. સર વોટર સ્કેટ નામને પ્રખ્યાત કવિ લખે છે કે - Two sisters by the goal are set. Cold disappointment and regret. One disenchants the winner's eyes. And strips of all its worth the prize. while one augments its gaudy show. Moro to enhance the loser's woe. આપણે કોઈ પણ સુખજનક વસ્તુ પ્રાપ્ત કરવા મથીએ છીએ, ત્યારે તેના બે પરિણામ આવે છે, કાંત -નિરાશા કે કાંત ખેદ. તે વસ્તુ તેની પ્રાપ્તિ પહેલાં જેટલી આપણને મેહક લાગતી હતી, તે પાછળથી એટલે તે મને ળ્યા પછી તેટલી મેહક લાગતી નથી. આપણે તેના પર મોહ ઉતરી જાય છે, કારણ કે હવે તેનું ખરૂં સ્વરૂપ આપણ જાણવામાં આવે છે. અને તેથી આપણે નિરાશ થઈએ છીએ. પણ પ્રયત્ન કરવા છતાં પણ તે વસ્તુની પ્રાપ્તિ થતી નથી, ત્યારે આપણે ખેદ ધરીએ છીએ, અને દિલગીર થઈએ છીએ, કારણ કે આપણે તેના મેહપાશથી ભ્રમિત થયેલી ચક્ષુને તે વિશેષ વિશેષ સુંદર અને સુખકારી જણાય છે, અને આ રીતે આપણું દુઃખમાં ઓર ઉમેરે થાય છે, આ રીતે બાહ્યવસ્તુઓ કાંતે નિરાશા ઉત્પન્ન કરે છે અથવા તે ખેદ ઉત્પન્ન કરે છે. ત્યારે હવે કરવું શુ? આમ સર્વ સ્થળે આપણે પાછા પડીએ છીએ, ત્યારે તે સુખ તે શાંતિ-આત્મામાં શોધવા આપણે મથીએ છીએ. તે સુખ મનથી પણ મળી શકે તેમ નથી. કારરણકે મન અસ્થિર અને ચંચળ છે, ક્ષણે ક્ષણે તે બદલાય For Private And Personal Use Only