SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 109 પિતાની માનસિક દ્રષ્ટિ ફેરવી. પિતાની તળેટીમાં આવેલા ઈટલી દેશ ભણી તેણે પ્રથમ નજર કરી. તે દેશ ફળદ્રુપ છે, અનેક પ્રકારના ફલપુલે ત્યાં ઉગી રહેલાં છે, અને કુદરત સર્વ વાતે અનુકુળ છે, પણ ત્યાંના માણસે વિષયી, દુરાચારી અને ઠીંગણા છે. માટે આ દેશમાં તે પરમ શાંતિ મળી શકશે નહિ. તે પછી તેણે કાન્સ, સ્વીટઝર્લેડ, ગ્રેટબીટન વગેરે અનેક દેશો તપાસ્યા. દરેકમાં ગુણ અને દોષ આવી રહેલા તેને ભાસ્યા, એકાંત સુખને પ્રદેશ તેની વિશાળ દ્રષ્ટિને દેખાશે નહિ. છેવટે તે પિતાની શોધમાં થા, અને તે સમયે તેના મુખમાંથી નીચે જણાવેલા ઉગારે નીકળી પડયા. Vain very vain my weary search to find. That bliss which only centres in the mind. Still to ourselves in every place consigned. Our own felicity we make or find. જે સુખ મનની અંદર રહેલું છે. તે સુખને પ્રદેશ આ જગતમાં શોધી કાઢવાને મહારો પ્રયાસ નિષ્ફળ ગયે. તે પણ હું એક એવા અનુમાન પર આવ્યું છું કે જુલમી રાજાઓ આપણા પર રાજ્ય કરે, અને જુલ્મી કાયદાઓ આપણુપર વર્તે છતાં સુખ મેળવવાનું પરમ સાધન પિતાને આત્મા છે. આત્મામાં સર્વ સુખ આવી વસેલું છે. આ તેનો નિષ્ફળ થયેલે પ્રયાસ એક રીતે સફળ થયેલે માનીએ તે તેમાં કાંઈ અવાસ્તવિક નથી. કારણકે જે બાહ્ય પ્રદેશમાં તેને સુખ ન મળ્યું તે તે આત્મામાં શેતે થયે. કારણ કે ખરા જીગરથી અને શુદ્ધ મનથી કરેલા પ્રયાસ કદાપિ નિફળ નીવડતું નથી. આ ઉપરથી કહેવાને ભાવાર્થ એમ નથી કે જગતમાં સુખ કે શાંતિ નથી, એમ કહેવું તે તે મિથ્યા છે, પણ તે સુખ એન્દ્રજાલિક છે, અને તે પ્રાપ્ત કર્યા પછી બીજા સુખની આકાંક્ષા રહે છે, માટે ચિરમલીન સુખ પ્રાપ્ત કરી શકે તેવા મનુષ્યના પ્રયાસને તે For Private And Personal Use Only
SR No.008507
Book TitleAdhyatma Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1903
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy