SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [[ 5 ] स्वतन्त्रो वीतरागोऽस्ति, निर्भयो ज्ञानवान् खलु । પરતત્ર સતા નોહી, વત્રો મ વેતન ! ! ! જે રાગ-દ્વેષ આદિ આત્મઘાતી કર્મોને વિનાશ કરીને વીતરાગ થયેલા પરમાત્માઓ નિશ્ચયથી મૃત્યુ આદિ સર્વ ભયથી રહિત-નિર્ભય થયેલા છે તેમજ સર્વ પ્રકારનું અપ્રતિહત કેવલજ્ઞાન પામેલા હેવાથી જગતને ઉપદેશ કરીને નિર્ભય બનાવવાની પ્રવૃત્તિ કરે છે. તે જ વસ્તુતઃ પૂર્ણ સ્વતંત્ર થયેલા જાણવા. અને જે આત્માઓ કામ, ક્રોધ, મોહ, માયા, લભ અને અજ્ઞાનથી વ્યાપ્ત થયેલા છે, તે સદા કર્મના ચંગે પરતંત્ર બનેલા જ સમજવા. તેથી જ્ઞાનીઓ કહે છે, કેહે ચેતન ! તું મહાદિકને ત્યાગ કરી સમ્યફ સ્વરૂપે જ્ઞાન-દર્શન તથા ચારિત્રને આરાધીને પૂર્ણ સ્વતંત્ર ભાવને ભજનારે થા. ૧૨ कल्पनां बाह्यभावेषु, स्वातन्त्र्यपारतन्त्र्ययोः । सन्त्यज्य ब्रह्मणः सत्यं, स्वातन्त्र्यं प्रकटीकुरु ॥ १३ ॥ ઈન્દ્રિયે મન-કાયાના વિષયે ભોગવવાની સ્વતંત્રતા કે પરતંત્રતા તો માત્ર બાહ્ય ભાવથી રાજ-પ્રજાના અધિકારીઓએ કપેલી જ વતંત્રતા કે પરતંત્રતા છે. વસ્તુતઃ કર્મના સંગથી પ્રાપ્ત થયેલા અનુકૂલ કે પ્રતિકૂલ વિષયોથી જી શાતા કે અશાતા અનુક્રમે અનુભવે છે. તેથી જયાં કર્મની પરતંત્રતા છે ત્યાં વસ્તુતઃ આત્મ-સ્વતંત્રતા છે જ નહિ માટે તેવી કલ્પનામય સ્વતંત્રતાને ત્યાગ કરીને ઈન્દ્રિય અને મનને વિષયેથી વારીને સત્ય બ્રહ્મસ્વરૂપને અનુભવ ધર્મ અને શુક્લધ્યાન વડે કરીને આત્મ-સવરૂપની સત્ય સ્વતંત્રતાને પ્રકટ કરે. ૧૩. For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy