________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪] યુક્ત સમર્થ છે અનન્ત શક્તિથી યુક્ત છો, તું સત્તાથી (સંગ્રહનયથી) જન્મ-મરણ રહિત છે. ૪૬૩.
વર-કુળવવા,–ssધારિત રત્વ પામ: | अनन्तजीवनाऽऽत्मा त्वं, स्वस्वरूपी भव स्वयम् ॥४६४॥
અનન્ત ગુણ-પર્યાયન ઉપાદાન કારણ અને આધાર તું જ મહાન જ્યોતિર્મય-તેજસ્વી છે, તારો આત્મા અનંત જીવનસ્વરૂપ આત્મા છે, તું તારા પ્રયત્નથી જ સ્વ-સ્વરૂપથી યુક્ત બન, ૪૬૪, शुद्धध्येयं हृदि स्मृत्वा, स्वकर्तव्यं कुरुष्व भोः । जागृहि ब्रह्मभावेन, शुद्वाऽऽत्मा त्वं भविष्यसि ॥४६५॥
હે ભવ્યાત્મન ! તું તારા હદયમાં આત્માના શુદ્ધસ્વરૂપનું મરણ કરીને તારૂં કર્તવ્ય રાગ-દ્વેષ વિના સમભાવરૂપે કર. બ્રહ્મભાવરૂપે જાગતે રહીને શુદ્ધ આત્મ-સ્વરૂપનું ધ્યાન કર. જેથી તારે આત્મા શુદ્ધ થશે અને તું પરમબ્રહ્મસ્વરૂપને ભક્તા બનીશ. ૪૬૫. दैन्यं मा कुरु मोहेन, विश्वदेवोऽसि चेतन !। जडभिक्षां च याचन्ते, ते दीनाश्चक्रिणोऽपि हि ॥४६६॥
હે ભવ્યાત્મન્ તું જરાપણ દીનતાને ધારણ કરીશ નહિ. દીનતા મહિને લીધે આવે છે, તેને દૂર કર, હે ચેતન ! તું વિશ્વને દેવ છે. જે વિષયભેગરૂપ જડ પદાર્થોની ઇચ્છા કરે છે, તેઓ ચક્રવતિઓ હોવા છતાં પણ દીન છે. ૪૬૬. नाहं दीनो न दाताऽस्मि, नाहं कामो न कामवान् । नाहं पुंवेदरूपोऽस्मि, नाहं निद्रा न निद्रकः ॥४६७॥
For Private And Personal Use Only