________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંખ્યા ૧૭ (૧) સંડાસા(સાંધાઓ) ખમાસમણની પ્રમાર્જના- (૧ થી ૩) પાછળના ભાગમાં કમ્મરથી પગની પાની સુધી જમણા અને ડાબા પગને તથા બન્ને પગની વચ્ચેના ભાગને ઓઘાથી પૂજવો (૪ થી ૭) ઉપર પ્રમાણે આગળના ભાગમાં ઓઘાથી પૂજવો (૭ થી ૯) જમણા અને ડાબા પગની તથા બન્ને પગની વચ્ચે રહેલ ભાગની સામે રહેલી, પગની આગળની ભૂમિને ઓઘાથી પૂજવી (૧૦-૧૧) નીચે બેસી જમણાલલાટથી ડાબા હાથ ઉપર થઈ પાછળ કોણી સુધી હાથને મુહપત્તિથી પૂજે, પછી ડાબા હાથમાં મુહપત્તિ લઈ ડાબાલલાટથી જમણા હાથ ઉપર થઈ પાછળ કોણી સુધી હાથને મુહપત્તિથી પૂજે (૧૨ થી ૧૪) મુહપત્તિથી ત્રણવાર ઓઘાને પૂજે (૧૫ થી ૧૭) ઉભા થતી વખતે જ્યાં ઉભા રહેવાનું છે ત્યાં જમણા અને ડાબા પગની તથા બન્ને પગની વચ્ચે રહેલ ભાગની સામે રહેલી પગની પાછળની ભૂમિને પૂજવી. (૨) ભાવ શ્રાવકનાં ભાવગત લક્ષણ (૧) સ્ત્રી ત્યાગના પરિણામવાળો (૨) ઇન્દ્રિય નિરોધક (૩) અર્થને અસાર જાણે. (૪) સંસારને વિટંબન જાણે (૫) વિષયોને કિંપાક ફળ જેવા જાણે (૬) તીવ્ર આરંભ કરે નહિ. (૭) ગૃહવાસને જેલ સમાન માને (૮) સુગુરૂની ભક્તિ વડે દર્શનશુદ્ધિ કરે (૯) ગાડરીયા પ્રવાહમાં તણાય નહિ. (૧૦) શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ હોય (૧૧) યથાશક્તિ દાન કરનાર (૧૨) ધર્મ કરવામાં
૮૨.
For Private And Personal Use Only