________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ દુ:ખકારી જાણે. (૩) નિર્વેદઃ-સંસા૨ની વિષમતા જાણી વૈરાગ્યભાવ ધરે. (૪) અનુકંપા-દીનદુઃખીના દુઃખોનું નિવારણ કરે તેમ જ ધર્મરહિતને જોઇ ભાવદયા ચિન્તવે તે. (૫) આસ્તિક્યમુ-શ્રી જિનેશ્વરોએ ભાખેલ નવેતત્ત્વોમાં યથાર્થ હેયોપાદેયતા ધારણ કરે (આ પાંચ લક્ષણોથી પોતામાં રહેલ સમકિતભાવની પ્રતીતિ કરાય છે.).
(૬) જયણા-(૧) પરતીર્થિકાદિવંદનમ્-કુદેવ, કુગુરુ અને મિથ્યાત્વીઓએ ગ્રહણ કરેલ દેવના વંદન-પૂજનથી દૂર રહેવું. (૨) નમસ્કરણમ્-૫૨તીર્થિકોને નમસ્કા૨ ક૨વાપણાથી દુર રહેવું. (૩) અશનાદિદાનમુ-મિથ્યાત્વીઓને દાનાદિથી પુષ્ટ કરવા નહિ. (૪) ગંધપુષ્પાદિપ્રેસણમ્-મિથ્યાત્વીને માન-પાન આપવું. નહિ. (૫) આલાપનમ્-મિથ્યાત્વીઓની સાથે વગર પ્રસંગે બોલવું નહિ. (૬) સંલાપનમ્-મિથ્યાત્વીઓની સાથે વારંવાર ધર્મચર્ચા કરવી નહિ. (આ છ જાતના (જયણા)થી સમકિતને સાચવવું.)
(૭) આગાર-(૧) રાજાભિયોગઃ- રાજાના આગ્રહથી (૨) ગણાભિયોગઃ-સમુદાય તે બહુમતિના આગ્રહથી (૩) બલાભિયોગઃ-બળવાન માણસના આગ્રહથી (૪) દેવાભિયોગઃ- દેવ, દેવી, કુળદેવી, વગેરેના આગ્રહથી (૫) ગુરુનિગ્રહ:- માતા પિતા ગુરૂ આદિ વડીલોના વિગ્રહથી (પરાભવ આદિથી) છોડાવવા માટે (૬) વૃત્તિકાન્નારાભિયોગઃ- જંગલમાં તેમજ દુષ્કાળાદિ પ્રસંગોમાં
૧૧૪
For Private And Personal Use Only