________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરનાર, સંવેગી (રાગ દ્વેષ ન કરવામાં રંગાયેલા) તેમજ સાધુ-સાધ્વી ભગવંતોની ભક્તિ કરનાર એટલે તેમના વચન ઉપર શ્રદ્ધા અને આજ્ઞાનું પાલન કરનાર જેથી યથાર્થજ્ઞાન મેળવી શકાય (૩) વ્યાપન્નદર્શનવર્જનમ્-ઉત્તમ આત્માઓએ સમકિતથી ભ્રષ્ટ થયેલા વિપરીતદષ્ટિવાળા પાસત્કાદિકનો સંગ કરવો નહિ. (૪) કુદર્શનવર્જનમૂ-મિથ્યાત્વી તેમજ ધર્મના દ્વેષી આત્માઓનો સંગ કરવો નહિ. (આ ચારમાં પૂર્વના બેથી સમકિતની પ્રાપ્તિ થાય છે અને પાછળના બેથી સમકિતનું રક્ષણ થાય છે.). (૩) લિંગ-(૧) સુશ્રુષા-જેનાથી સમ્યગુ બોધ થાય એવા ધર્મશાસ્ત્રો સાંભળવાની ઇચ્છા હોય (૨) ધર્મરાગ - ધર્મકાર્યમાં પૂર્ણ પ્રીતિ ધારણ કરે (૩) વૈયાવૃત્ય - સત્ય માર્ગને બતાવનાર એવા દેવ-ગુરૂ તેમજ વડીલોનું વૈયાવચ્ચ કરવાનો અભિલાષી હોય (આ ત્રણ લિંગથી બીજાના સમકિતને ઓળખી શકાય છે). (૧૦) વિનય-(૧) અરિહંતનો (૨) સિદ્ધનો (૩) આચાર્યનો (૪) ઉપાધ્યાયનો (૫) સાધુ-સાધ્વીનો (ક) ચૈત્ય (જિનપ્રતિમાનો (૭) દ્વાદશાંગી (આગમ)નો (૮) ધર્મનો (૯) પ્રવચનદક્ષ એવા ચતુર્વિધ સંઘનો (૧૦) અને સમકિતિનો.
આ દશનો પાંચ પ્રકારે વિનય કરવો, (૧) ભક્તિ કરવી. (૨) બહુમાન કરવું. (૩) ગુણોનું વર્ણન કરવું. (૪)
૧૧૧
For Private And Personal Use Only