________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાયદંડ પરિહરૂ (ડાબા હાથ ઉપર મુહપત્તિ નાખી મુહપત્તિને અર્ધવાળી ફરી અર્ધભાગમાં અર્ધવાળી જમણા હાથની આંગળીઓની વચ્ચે પકડી ડાબો હાથ સવળો રાખી મુહપત્તિને ભૂજા તરફ ત્રણ ટમૅ લઈ જતાં “સુદેવ-સુગુરુ-સુધર્મ આદરૂં” બોલે, આ ત્રણ અખોડા અને ભૂજાથી પંજા તરફ ત્રણ ટર્પો હાથને સ્પર્શીને પ્રાર્થના કરતાં “કુદેવ-કુગુરુ-કુધર્મ પરિહરૂ' બોલે, આ ત્રણ પ્રમાર્જના-તેવી રીતે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરૂં અને જ્ઞાનવિ. દર્શનવિ. ચારિત્રવિ. પરિહરૂં-તેવી જ રીતે મનગુપ્તિ-વચનગુપ્તિ-કાયગુપ્તિ આદરૂં અને મનદંડવચનદંડ-કાયદંડ પરિહરૂં, બોલે અને અખોડા તથા પ્રમાર્જના કરે આ મુહપત્તિની પચ્ચીસ પડિલેહણા જાણવી.
હવે શરીરની પચ્ચીસ પડિલેહણા બતાવે છે :-૨૭-૨૭૨૮, ડાબા હાથની કોણીથી ઉંધા કરેલ પંજા તરફ પૂજતાં હાસ્ય-રતિ-અરતિ પરિહરૂં' બોલે. ૨૯-૩૦-૩૧-ડાબા હાથની આંગળીઓ વચ્ચે મુહપત્તિ પકડીને જમણા હાથની કોણીથી ઉંધા કરેલા પંજા તરફ પૂજતાં “ભય-શોક દુગંછા પરિહરૂ' બોલે. ૩૨-૩૩-૩૪-મુહપત્તિના બે છેડા બે હાથે પકડી લલાટનો મધ્યભાગ અને આજુબાજુ એમ ત્રણ ભાગને પૂજતાં “કૃષ્ણલેશ્યા-નીલલેશ્યા-કાપોત લેશ્યા પરિહરૂં” બોલે, ૩૫-૩૬-૩૭-તેવી રીતે મુખના ત્રણ ભાગને પૂજતાં “રસગારવ-ઋદ્ધિગારવ-શાતાગારવ પરિહરૂં” બોલે. ૩૮૩૯-૪૦-તેવી રીતે હૃદયના ત્રણ ભાગને પૂજતાં “માયાશલ્ય
૧૦૬
For Private And Personal Use Only