________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય શ્રી અવધિજ્ઞાન (ખમાઇ દેઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી અવધિજ્ઞાન આરાધનાર્થે ચૈત્યવંદન કરૂં? ઇચ્છે, કહી ચૈત્યવંદન કહેવું.)
શ્રી અવધિજ્ઞાન ચૈત્યવંદન અવધિજ્ઞાન ત્રીજું કહ્યું, પ્રગટે આત્મ પ્રત્યક્ષ, ક્ષય ઉપશય આવરણનો, નવિ ઇન્દ્રિય અપેક્ષ; દેવ નિરય ભવ પામતાં, હોય તને અવશ્ય, શ્રદ્ધાવંત સમય લહે, મિથ્યાત વિર્ભાગવશ્ય; નર તિરિય ગુણથી લહે, શુભ પરિણામ સંયોગ, કાઉસગ્નમાં મુનિ હાસ્યથી, વિઘટ્યો તે ઉપયોગ. જઘન્યથી જાણે જુએ, રૂપી દ્રવ્ય અનંતા, ઉત્કૃષ્ટા સવિ પુદ્ગલા, મૂર્ત વસ્તુ મુણતા; ક્ષેત્રથી લઘુ અંગુલ તણો, ભાગ અસંખિત દેખે, તેહમાં પુદ્ગલ બંધ જો, તેહને જાણે પેખે; લોક પ્રમાણે અલોકમાં એ, ખંડ અસંખ્ય ઉક્કિg, ભાગ અસંખ્ય આવલિ તણો, અદ્ધા લઘુપણે દિ8. ....... ૨ ઉત્સર્પિણી અવસર્પિણીએ, અતીત અનાગત અદ્ધા, અતિશય સંખ્યાતા પણે, સાંભળો ભાવ પબંધા; એક એક દ્રવ્યમાં ચારભાવ, જઘન્યથી તે નિરખે, અસંખ્યાતા દ્રવ્ય દીઠ, પર્યવ ગુરૂથી પરખે; ચાર ભેદ સંક્ષેપથી એ, નંદિસૂત્ર પ્રકાશે, વિજયલક્ષ્મીસૂરિ તે લહે, જ્ઞાન ભક્તિ સુવિલાસે. ...........
પપ
For Private And Personal Use Only