________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવ વાંદિએ અને સામાયિક તથા પોસહ મધ્યે વાસપૂજાએ પુસ્તક પૂજીને દેવ વાંદીએ અથવા દેરાસર મધ્યે બાજોઠ ત્રણ ઉપરાઉપર માંડી, તે ઉપર પાંચ શ્રીફળ, જિનમૂર્તિ સ્થાપીએ તથા મહોત્સવથી પોતાને ઠામે સ્નાત્ર ભણાવીએ, અને આગળ જમણી તરફ પુસ્તક માંડ્યું હોય, તેની પણ વાસક્ષેપ પૂજા કરીએ, તથા ઉજમણું માંડ્યું હોય ત્યાં પણ યથાશક્તિ જિનબિંબ આગળ લઘુ સ્નાત્ર ભણાવીને અથવા સત્તરભેદી પૂજા ભણાવીને પછી શ્રીસૌભાગ્યપંચમીના દેવ વાંદીએ.
દેવવંદન વિધિ
પ્રથમ પ્રકટ નવકાર કહી, ઈરિયાવહી૦ પડિકમ્મી એક લોગસ્સ કાઉસગ્ગ ન આવડે તો ચાર નવકારનો કાઉસગ્ગ કરી, લોગસ્સ કહી, ખમાસમણ દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મતિજ્ઞાન આરાધનાર્થે ચૈત્યવંદન કરૂં ? ઈચ્છું એમ કહી યોગમુદ્રાએ (ડાબો ઢીંચણ ઉભો કરી) ચૈત્યવંદન કરીએ.
પ્રથમ શ્રી મતિજ્ઞાન
શ્રી મતિજ્ઞાન ચૈત્યવંદન
શ્રી સૌભાગ્ય પંચમી તણો, સમયલ દિવસ શણગાર; પાંચ જ્ઞાનને પૂજીયે, થાય સફળ અવતાર. સામાયિક પોસહ વિષે, નિરવઘે પૂજા વિચાર; સુગંધ ચૂર્ણાદિક થકી, જ્ઞાનધ્યાન મનોહાર. પૂર્વ દિશે, ઉત્તર દિશે, પીઠ રચી ત્રણસાર; પંચ વરણ જિનબિંબને, સ્થાપીજે સુખકાર. ..........
૪૩
For Private And Personal Use Only
**********
૧
ર
૩