________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,
,
,
પ્રથમ સ્તવન (રાગ : તંગીયા ગિરિ શિખર સોહે....) વીર મધુરી વાણી ભાખે, જલધિ જલ ગંભીર રે; ઇન્દ્રભૂતિ ચિત્ત ભ્રાંતિ રજકણ, હરણ પ્રવર સમીર રે.... ૧ પંચભૂત થકી જ પ્રગટે, ચેતના વિજ્ઞાન રે; તેહમાં લયલીન થાયે, ન પરભવ સંજ્ઞાન રે........... વેદ પદનો અર્થ એડવો, કરે મિથ્યા રૂપ રે; વિજ્ઞાનધન પદ વેદ કેરા, તેહનું એહ સ્વરૂપ રે........... ૩ ચેતના વિજ્ઞાનધન છે, જ્ઞાન દર્શન ઉપયોગ રે, પંચભૂતિક જ્ઞાનમય તે, હોય વસ્તુ સંયોગ રે..... જિહાં જેહવી વસ્તુ દેખિએ, હોય તેવું જ્ઞાન રે; પૂરવજ્ઞાન વિપર્યયથી, હોય ઉત્તમ જ્ઞાન રે. .............. એહ અર્થ સમર્થ જાણી, મ ભણ પદ વિપરીત રે, ઇણિ પરે ભ્રાંતિ નિરાકરીને, થયા શિષ્ય વિનીત રે....... ૬ દિપાલિકા પ્રભાતે કેવલ, લહ્યું તે ગૌતમ સ્વામ રે, અનુક્રમે શિવ સુખ લહ્યા, તેમને નય કરે પ્રણામ રે....... ૭
દ્વિતીય સ્તવન
(રાગ : અલબેલાની દેશી) દુઃખહરણી દીપાલિકા રે લોલ, પર્વ થયું જગમાંહ, ભવિ પ્રાણી રે, વીર નિર્વાણ થાપના રે લોલ,
For Private And Personal Use Only