________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨) ૫૦ બોલથી-મુહપત્તિ ૧૦ બોલથી-ડાંડો, દંડાસન, ચરવલી, દોરા, કંદોરો, ઠવણી, ઓઘાની-દશી અને દોરી. ૨૫ બોલથી-ઘારીયું, પાટો, નિસેટીયું વગેરે બાકીનાં વસ્ત્રો.
પડિલેહણ કરેલા વસ્ત્રો, પડિલેહણ નહિ કરેલા વસ્ત્રો સાથે ભેગા થાય તો ફરી દરેકનું પડિલેહણ કરવું જોઈએ.
કામળીનું પડ જુદું કરીને બન્નેનું જુદું જુદું પડિલેહણ કરવું જોઈએ. કામળીના જોટાને પણ સીંગળ કરીને પડિલેહણ કરવું જોઈએ. (૩૩) દેવદર્શન, આહાર, નિહાર, વિહાર, માત્ર અને વિદ્યા આ છ કારણે ઉપાશ્રય બહાર જવાય. (૩૪) ઉત્સર્ગમાર્ગે આહાર-નિહાર અને વિહાર ત્રીજા પહોરમાં બતાવેલ છે. (૩૫) સૂર્યોદય પછી વિહાર કરવો તે હિતકારી છે. સૂર્યોદય પહેલાં વિહાર કરવામાં ઇર્યાસમિતિનું પાલન થાય નહિ, સૂર્યાસ્ત પછી વિહાર કરવામાં ઇર્યાસમિતિનું પાલન થાય નહિ, જ્યાં જયણા નથી ત્યાં મિથ્યાત્વ હોય છે. (૩૬) કારણ વિના પહેલા પહોરમાં ગોચરી અને સ્પંડિલ જવામાં અને વિહાર કરવામાં વધારે દોષ, બીજા પહોરમાં ઓછો દોષ, ત્રીજા પહોરમાં શુદ્ધિ વધારે અને ચોથા પહોરમાં પણ દોષ લાગે.
થંડા પહોરમાં જીવોનો ઉપદ્રવ વધારે હોય છે, તેમજ કાળ વખતે અપકાયના જીવોની પણ વિરાધના થાય, માટે બને ત્યાં સુધી કાળ વખતે બહાર નીકળવું નહિ.
For Private And Personal Use Only