________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાઘુવર્યા (૧) એક પ્રહર બાકી રહે ત્યારે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી જાગ્રત થવું, નિદ્રા એ આત્મગુણનો ઘાત કરનાર સર્વઘાતી પ્રકૃતિ છે, માટે નિદ્રાને ઘટાડતા જવું.
આહાર ને ઉંઘ વધાર્યાં વધે અને ઘટાડ્યા ઘટે, તેમજ આહાર વધારવાથી ઉંઘ પણ વધે છે. (૨) જે જગ્યાએ ઉંધ્યા હોઈએ કે રાઇપ્રતિક્રમણ કર્યું હોય, તે જગ્યાનો સ્વામી શય્યાતર થાય, પરંતુ એક જગ્યાએ ઉંધ્યા અને બીજી જગ્યાએ રાઇપ્રતિક્રમણ કર્યું હોય તો બન્ને જગ્યાઓના બન્ને સ્વામી શય્યાતર થાય. (૩) દરેક ક્રિયા પૂર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ કરવી. (૪) ક્રિયા કરતાં સ્થાપનાજી મસ્તક ઉપર અને પગથી નીચાણમાં રાખવા નહિ. (૫) સ્થાપનાજી ઉપર રેશમી રૂમાલો તેમજ આકર્ષણ ભરેલા સુતરાઉ રૂમાલો રાખવા તે બોજારૂપ છે. (ડ) વિભૂસા વરિએ ભિખૂ, કમ્મ બંધઇ ચિકણું;
સંસારસાયરે ઘોરે, જેણે પડઇ દુરુરે (૬-૧૭) કામળી, સંથારીયા, ઓઘારીયા આદિને ડિઝાઇનો પાડી રંગ-બેરંગી ભરત ભરવું તેમજ કપડાની ટાપટીપ અને શરીરની શોભા કરનાર સાધુ-સાધ્વી ચીકણાં કર્મ બાંધે છે તથા અત્યંતદીર્ઘ અને ભયંકર એવા સંસારસમુદ્રમાં બુડે છે. (દ0 વૈ૦)
૭૫
For Private And Personal Use Only