________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અવળો સાથીઓ ક૨વો, અને માંડવી હોય તો બેઠકે અવળો સાથીઓ કરવો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધ્વી હોય તો નીચેના વસ્ત્રો સિવાયના ઉપરના ભાગનાં વસ્ત્રોને કેશરના અવળા પાંચ સાથીઆ કરવા, તેમજ સર્વવસ્ત્રોને કેશરના છાંટા નાખવા.
ચાર આંગળ પહોળો પાટો કેડે બાંધવો, પછી નાવના આકારે ચૌદ પડનો લંગોટ પહેરાવે, નાવના આકારે ન હોય તો ચૌદ પડ કરી લંગોટ પહેરાવે, પછી નાનો લેંઘો જાંઘ સુધીનો પહેરાવે, પછી લાંબો લેંઘો પગના કાંડા સુધીનો પહેરાવી કેડે દોરો બાંધીને, એક સાડો ઢીંચણથી નીચે અને પગના કાંડાથી ઉપર સુધીનો પહેરાવે, તેના ઉપર બીજો સાડો પગના કાંડા સુધી પહેરાવી દોરીથી બાંધવો, પછી કંચવાની જગ્યાએ વસ્ત્રનો પાટો વીંટી ત્રણ કંચવા પહેરાવી એક કપડો ઓઢાડે, પછી સુવાડીને બીજો કપડો ઓઢાડે, અને જમીન પ૨ સુવાડે ત્યાં પણ માથાની જગ્યાએ જમીનમાં ખીલો ઠોકે, પછી મૃતકની જમણી બાજુએ ચરવળી તથા મુહપત્તિ મૂકે અને ડાબી બાજુએ ઝોળીની અંદર ખંડિત પાત્રામાં એક લાડુ મૂકે.
પછી જે વખતે કાળ કર્યો હોય તે વખતનું કયું નક્ષત્ર હતું તે જોવું. (અથવા બ્રાહ્મણને પૂછવું.) રોહિણી વિશાખા પુનર્વસુ અને ત્રણ ઉત્તરા એ છ નક્ષત્રમાં ડાભનાં બે પુતળાં કરવાં, જ્યેષ્ઠા આર્દ્ર સ્વાતિ શતભિષા ભરણી અશ્લેષા અને અભિજિતુ આ સાત નક્ષત્રમાં પુતળાં કરવાં નહિ, બાકીનાં
૧૨૪
For Private And Personal Use Only