________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ નક્ષત્રમાં એકેક પુતળું કરવું, તે પુતળાંના જમણા હાથમાં ચરવળી તથા મુહપત્તિ આપવી, તથા ડાબા હાથની ઝોળીમાં ભાંગેલું પાત્ર લાડુ સહિત મૂકવું, જો બે પુતળાં હોય તો બંનેને તે પ્રમાણે આપવું, પછી પુતળાં આદિ બધી વસ્તુ મૃતકની પાસે મૂકવી, પછી સારો મજબુત ત્રીજો કપડો હોય તે પાથરીને તેની અંદર બધી વસ્તુઓ સહિત મૃતકને સુવાડીને કપડાના બધા છેડા વીંટાવી દે. .
ગૃહસ્થ મૃતકને લઈ જાય ત્યારે બીજી વાર વાસક્ષેપ નાખવો, ઉપાશ્રયમાંથી મૃતક બહાર કાઢે ત્યારે પ્રથમ પગ કાઢે, કોઈએ રોવું નહિ, પણ “જય જય નંદા-જય જય ભદ્દા’ એમ બોલવું અને આગળ બદામો નાણું વિ૦ ઉપાશ્રયથી સ્મશાન સુધી શ્રાવકો ઉછાળે, વાંસડાને ચિરાવી માંહે સરાવલ ઘાલી દીવા-ધૂપ કરવા, શોક સહિત વાજતે ગાજતે મસાણે જઇ શુદ્ધ કરેલ જમીન ઉપર સુખડ વિ૦ની ચિંતા કરી માંડવી પધરાવે, ગામ તરફ મસ્તક રાખે, અગ્નિ સંસ્કાર કરી, રક્ષા યોગ્ય સ્થાને પરઠવે, પવિત્ર થઈ ગુરુ પાસે આવી સંતિકર કે લઘુશાન્તિ અથવા બૃહચ્છાત્તિ સાંભળી અનિત્યતાનો ઉપદેશ સાંભળી અઠાઈ મહોત્સવ કરે.
સામાનની યાદી - લાડવાના ડોઘલા, દીવીઓ વાંસની ૪. વાટકા ૪. દેવતા. અને કદ્રુપ શે-૨. સુતર શે.-૨છે. બદામ શે.-૧૦. ટોપરાં મણ વો પંજણીઓ ર. સાજમાં સામાન વાંસ ૨. ખપાટી ને છાંણાં ૧૫. ખોડા ઢોરની ગાડી. બરાસ તો
૧૨૫
For Private And Personal Use Only