________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વખત ખાવાથી ન ચાલે તો ત્રણ વખત ખાવું, તે પ્રમાણે આગળ જાણવું. (૭૧) સવારથી સાંજ સુધી ઢોરની જેમ મોકળે મોઢે ખાવાથી અનેક દોષો ઉત્પન્ન થાય છે, પાણી પણ ઠાંસી ઠાંસીને પીવું નહિ. (ભોજન કરતાં પ્રથમ પાણી પીતાં અગ્નિમંદ થાય, વચ્ચે પાણી પીતાં રસાયન જેમ પુષ્ટિ કરે, અને અંતે ઘણું પાણી પીતાં વિષ જેમ નુકશાન કરે.) (૭૨) પારણા અને અત્તરવાયણામાં અજ્ઞાનીની જેમ મન લલચાવવું જોઈએ નહિ તોજ ખરા તપસ્વી બનાય, તેમજ પારણા અને અત્તરવાયણાની ખબર ગૃહસ્થને ન પડવા દેવી, જો ખબર પડે તો અનેક દોષો ઉપજે.
ખરા તપસ્વીને પારણામાં અને અત્તરવાયણામાં આનંદ (તાલાવેલી) ન હોય, તેને મન તો બન્નેમાં વિભાવદશા (પરાધીનતા) હોય, તે બન્નેનો વિચાર સરખો પણ પોતાને ન આવે. (૭૩) ત્રણ ટાઈમ ખાવાનો રીવાજ સાધુનો નથી, પરંતુ સાધુને તો છ કારણે ભોજન કરવાનું જ્ઞાનીપુરૂષોએ ફરમાવ્યું છે. વેણે વેયાવચ્ચે ઇરિયાઠાએય સંજમઠાએ;
તહ પણવતિયાએ છઠં પણ ધમ્મચિંતાએ (કલર) (૧) ક્ષુધા સહન ન થાય ત્યારે (૨) વૈયાવચ્ચ કરવા માટે (૩)
ડાયા
૧૦૩
For Private And Personal Use Only