________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવર્ધ્વિગણિ ક્ષણાશ્રમણ હસ્તપ્રત ભાંડાગાર :- અહીં આગમ, ન્યાય, દર્શન, યોગ, સાહિત્ય, વ્યાકરણ, જ્યોતિષ, આયુર્વેદ, ઇતિહાસ વિગેરે વિષયો સંબંધિત લગભગ ૨,૫૦,૦૦૦ હસ્તલિખિત ગ્રંથોનો વિશાળ જ્ઞાન-સાગર સંગ્રહિત છે. એમાં લગભગ ૩,૦૦૦ પ્રાચીન અને તાડપત્રીય ગ્રંથ વિશિષ્ટ રૂપે સંગ્રહિત છે.
અત્રે સંગ્રહિત હસ્તપ્રતોમાં રહેલા માહિતનીના સુંદર ઉપયોગ માટે કમ્યુટર ઉપર સૂચીકરણની વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. સૂચીના કપ્યુટરીકરણનું કાર્ય ખૂબજ ઝડપથી પ્રગતિ-પથ પર છે.
સંગ્રહિત અમૂલ્ય અને દુર્લભ હસ્તપ્રતોને માઈક્રોફિલ્મ/સ્કેનિંગ વડે સુરક્ષિત કરવાની યોજના પણ છે.
આ હસ્તપ્રત ભાંડાગાર ભારતનાં જૈન જ્ઞાનભંડારોમાં જ નહીં બલ્ક અન્ય ગ્રંથાલયોમાં પણ અજોડ અને અગ્રગણ્ય સ્થાન ભોગવે છે.
આર્ય સુધર્માસ્વામી શ્રુતાગાર :- આ વિભાગમાં જૈન અને ભારતીય સંસ્કૃતિ સંબંધિત લગભગ ૧,00,000 થી પણ વધુ મુદ્રિત પુસ્તકો અને પ્રતો સંગ્રહિત છે.
આ પુસ્તકોના ઉપયોગદત્તાઓમાં મહદ્અંશે જૈન સમાજના સાધુ-સાધ્વી, ભગવન્ત, મુમુક્ષુ વર્ગ, શ્રાવક વર્ગ તથા સંશોધક વિદ્વાનો સામેલ છે. પુસ્તકો ઉપલબ્ધિ તથા શોધ સહિત આપ-લે ની બધીજ પ્રક્રિયાઓ કમ્યુટર દ્વારા ખૂબ જ સરળ અને સુવિધાજનક પદ્ધતિથી સંચાલિત કરવામાં આવે છે.
આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરના ઉદેશ્ય : બૃહદ્ જૈન સાહિત્ય અને સાહિત્યકાર કોશ પરિયોજના તમામ ઉપલબ્ધ જૈન
૧૧૩
For Private And Personal Use Only