________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેશે. ત્રણ શિખરોથી શુશોભિત આ મહાવીરાલયની ખાસ વિશેષતા છે કે આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ના અંતિમ સંસ્કારના સમયે પ્રતિવર્ષ ૨૨મી મે બપોરના ૨.૦૦ કલાકે દેરાસરના શિખરમાં થઈને સૂર્યકિરણો મહાવીરસ્વામીના તિલકને દેદીપ્યમાન કરે એવી અજોડ અને સુંદર ગોઠવણ કરવામાં આવી
ઉંચા ફલક (જગતી) પર આવેલા આ દેરાસરની સીડીની બન્ને બાજુ ધાતુની બનેલી એક-એક વિશાળકાય સિંહની પ્રતિમાઓ આબાલ-વૃદ્ધ સૌને આકર્ષે છે.
મૂળ ગર્ભગૃહના પ્રવેશદ્વાર પર ચાંદીના જાડા પતરાનો ઢોળ ચઢાવેલો છે જેના પર શ્રી મહાવીરસ્વામીના સમવસરણમાં દર્શન કરવા માટે ભવ્ય શોભાયાત્રાની સાથે રહેલા દશાર્ણભદ્ર રાજા અને ઇન્દ્ર મહારાજની વચ્ચે પ્રતિસ્પર્ધા અને દશાર્ણભદ્ર રાજાની દીક્ષાનું દશ્ય આબેહુબ રીતે અંકિત કર્યું છે.
કાષ્ઠ શિલ્પનું આ સમગ્ર પ્રદર્શન વીસમી સદીનું પ્રતિનિધિત્વરૂપ અને વિશિષ્ટ નમૂનારૂપ બન્યું છે.
આ મહાવીરાલયનું વાસ્તુશિલ્પ પણ દર્શનીય છે. અહીનું શિલ્પ કાર્ય કલારસિકોને સંમોહિત કરવામાં સમર્થ છે.
આચાર્ય શ્રી કેલાસસાગરસૂરિ સ્મૃતિમંદિર (ગુરુમંદિર) - પ. પૂ. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ની પાવન સ્મૃતિમાં એમના અંતિમ સંસ્કાર સ્થાન પર નિર્મિત સંગેમરમરના કલાત્મક મંદિરના રંગમંડપમાં આપને આચાર્યશ્રીની સ્ફટિક રત્નની અદ્વિતીય ચરણપાદુકા અને ગર્ભગૃહમાં સ્ફટિક રત્નની રંગમંડપમાં આપને આચાર્યશ્રીની સ્ફટિક રત્નની અદ્વિતીય ચરણપાદુકા અને
૧૧૧
For Private And Personal Use Only