________________
~
છે તેની સાબિતી પૂરી પાડે છે: ગગનમંડળને ગ્રહ, નક્ષત્ર, તારા, તેમજ સૂર્ય-ચંદ્ર પણ પ્રકાશિત કરે છે, છતાં તે સર્વમાં સૂર્ય-ચંદ્રનું સ્થાન વિશિષ્ટ છે તેવી જ રીતે કથા સાહિત્યના અનેક ગ્રંથે વિદ્યમાન છે, તેમાં પણ “કથા રત્નકેશ” જેવા ગ્રંથે સૂર્ય-ચંદ્રની માફક ગૌરવશાળી છે.
-
જેમાં પહેલાં પ્રાકૃત ભાષામાં ગ્રંથરચનાની શરૂઆત થઈ, ત્યાર બાદ સંસ્કૃત ભાષાને મહત્વનું સ્થાન મળ્યું. લગભગ બારમાથી પંદરમા સૈકા સુધીમાં પ્રાકૃત તથા સંસ્કૃત ભાષામાં અનેક કૃતિઓ રચાઈ છે. આ સમયને જૈન સાહિત્ય-રચનાને સુવર્ણકાળ પણ કહી શકાય. આ કથારત્નકેશ ગ્રંથની પ્રાકૃત ભાષામાં આશરે સાડા અગિયાર હજાર લેકપ્રમાણ વિ. સં. ૧૧૫૮ માં પરમપૂજય શ્રી દેવભદ્રાચાર્ય મહારાજે રચના કરી છે. આ અપૂર્વ ગ્રંથમાં સમ્યવાદિના તેત્રીશ ગુણે અને પાંચ અણુવ્રતાદિ સત્તર વિશેષ ગુણે મળી કુલ પચાશ ગુણેને અનુલક્ષીને રચના કરવામાં આવી છે તેમજ દરેકેરેક ગુણ પર અપૂર્વ કથાનક આપી દરેક ગુણનું સ્વરૂપ સરલ તેમજ આકર્ષક રીતે દર્શાવવામાં આવ્યું છે.
-
-
PE
આગમપ્રભાકર પરમ પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીએ પ્રથમ આ અપૂર્વ ગ્રંથનું સંશોધન કર્યું, પછી તેને પ્રતાકારે વિ. સં. ૨૦૦૦ માં આ સભાએ જ પ્રકાશિત કર્યો. આ અપૂર્વ ગ્રંથના પ્રકાશનથી કથાસાહિત્યમાં સારે પ્રકાશ પડ્યો. આવા ઉત્તમ કેટિના પ્રકાશનથી અમને પણ સ્થળે સ્થળેથી અભિનંદને મળ્યા અને સાથે સાથે માગાણ પણ થઈ કે-આવા સુંદર અને અતિ લેકે પકારક ગ્રંથને ગુજરાતી અનુવાદ પ્રગટ કરવામાં આવે તે ઘણે જ ઉપયોગી થાય. અમેએ પણ તે સાહસ કરવાનું સ્વીકાર્યું અને સભાના સદ્ભાગ્યે પાટણના રહેવાસી શેઠશ્રી નટવરલાલભાઈ છોટાલાલ જેવા આર્થિક સહાયક પણ મળી ગયા.
T.
We
મૂળ ગ્રંથ ઘણે જ વિરતૃત હોવાથી અને ગુજરાતી ભાષાંતર તે તેના કરતાં પણ વિસ્તૃત થતું હોવાથી અમે એ ગ્રંથના ભાષાંતરને ત્રણ વિભાગમાં વિભકત કરીને પ્રકાશન કરવાનું વિચાર્યું, અને શ્રી સ્થાનિકેશ-અનુવાદ ભાગ પહેલો વિ. સં. ૨૦૦૭ માં
2
"Aho Shrutgyanam