SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ વૃદ્ધ પુરુષે સ્વીકારેલ શ્રાવક ધર્મ : કથારત્ન-કેશ : લીધે તેની આંખના ખૂણે હંમેશા લાલ જ રહે છે. નિર્દય અને ચંચલ બને તે પ્રાણિવધમાં પ્રવૃત્ત થયેલ છે. તારે બીજે દીકરે પહાડના સ્તંભની પેઠે અક્કડ હાઈ નમ્રતા વિનાને કઠેર બેલનાર, બીજાની નિંદા કરવામાં તત્પર, પિતાની જ શ્લાઘા કરનારે અને વિનયહીન નીવડેલ છે. તારે ત્રીજો પુત્ર કપટ કરવાના દોષને લીધે આ જન્મમાં સ્ત્રીભાવને પામે છે અને તે નાગણની પેઠે શરીરથી અને મનથી પણ વક્ર બનેલે દેખાય છે અને આ, તારી ચુડલી નામની કન્યાનો અવતાર પામેલ છે. આ તારો ચોથો પુત્ર પણ સતિષ વગરને છે, એથી જ એનું શરીર દુબળું છે અને લેભને લીધે તેને ક્યાંય પણ ચેન પડતું નથી તેથી જ તે આમતેમ રખડ્યા કરે છે. આ પ્રમાણે આ તારા ચારે સંતાને જાણે કે દેહધારી એવા સાક્ષાત ક્રોધ, માન, માયા અને લાભ જ ન હોય એવા જણાય છે. તે તને પિતાને, બીજાઓને અને પિતાની જાતને પણ દુઃખ દેનારા છે. જે પુરુષ નિર્મળ શીલ-સ્વભાવવાળે હોય તે પણ આ તારાં સંતાનની સેબતમાં આવતાં જ પોતાના નિર્મળ સ્વભાવને છોડી દે છે અને શું શું અકૃત્ય કરતું નથી? તે હે વૃદ્ધ પુરુષ! તેવા ક્રોધાદિકની તીવ્ર વૃત્તિવાળાં છોકરાંઓને લીધે અને તેમની એ વૃત્તિમાં તારી સમ્મતિ હોવાને લીધે તારા એ દુષ્કર્મને આ વિષાક આ જન્મમાં તારે સહન કરવાને છે. હવે તે માટે સંતાપ શા માટે કરે છે? એ પ્રમાણે ત્રણ ભુવનમાં સૂર્ય સમાન એવા એ જિન ભગવાને એ સ્થવિરને એની પૂર્વભવની બધી હકીક્ત કહું. એ સાંભળ્યા પછી તે સ્થવિરને પિતાના પૂર્વભવનું સ્મરણ થઈ આવ્યું અને જે હકીકત સાંભળેલી હતી તે બધીય હવે પ્રત્યક્ષ અનુભવ્યા જેવી જણાઈ એથી એના મનમાં સંસારની વિરૂપતાનો વિચાર આવ્યા પછી તે, વ્રતે સ્વીકારવાને અસમર્થ હોવાથી સમ્યગુદર્શનને સ્વીકારવા સાથે શ્રાવકધર્મ ઉપર આવ્યો. તેનાં ચારે સંતાને તે અતિશય કષાયભાવવાળાં હેવાને લીધે વિવેક રહિત બનેલાં હતાં તેથી તેઓ એની એ જ સ્થિતિમાં રહ્યાં. હવે આ વખતે પેલા સુદરે સામે રહેલા સ્થવિરના કુટુંબને બધે વૃત્તાંત સાંભ તેથી તેને પોતાના મિત્રના કુટુંબના માણસેનાં દે વિશે પણ વિચાર આવ્યા એટલે તે બ : હે મિત્ર ! તેં આ બાબત કાંઈ વિચાર કર્યો કે ? એમ બોલ્યા : મેં સામાન્યપણે થોડું વિચાર્યું છે પરંતુ વિશેષતઃ મને વિચાર આવ્યા નથી. ત્યારબાદ સુદત્તે બધા પરમાર્થ કહી સંભળાવ્યું. હે ભદ્ર! આ ઘરડા પુરુષની પેઠે તે પણ કષાયવાળી પ્રવૃત્તિઓમાં સમ્મતિ આપેલી હશે અને તેથી જ તે આવું કર્મ ઉપાર્યું હોવું જોઈએ જેને લીધે તારાં ઘરનાં લેકે પરસ્પર આ કજિયે કરે છે અને તેથી તારે પણ સંતાપ ભગવ પડે છે. એમ બેલ્થઃ હા, એમ હોવું જોઈએ, પરંતુ હવે ઘરનાં માણસેએ નીપજવેલાં આ ભયાનક કજિયાના ફાંસલામાંથી મારે છુટકારે શી રીતે થાય ? આ હકીક્ત જાણવા માટે "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy