SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ એમે મિત્રને જણાવેલ ગૃહ-કલેશનું કારણ પ્રતિમાની પેઠે પરવયારસાયારલેયાભિરામ છે અર્થાત કાણિકની પ્રતિમા પાપકારને લીધે સાર-સુંદર એવા ઉદાર લેયર્લેકપ્રકાશથી મનહર છે તેમ એ નગરી પરયકાર કરવામાં સારા ઉદાર લેય-કેના નિવાસને લીધે રમણીય છે, તથા રામદેવના શરીરની પેઠે એ નગરી સીયાસયસાહિયા છે અર્થાત્ જેમ રામચંદ્રનું શરીર સીતાના આશયને (સીયા આસય) સાધી આપનારું છે તેમ એ નગરી (સીયા+સય+ પસાહિયા) સેંકડો હળેથી પ્રસાધિત છે એ નગરીની સીમમાં સેંકડે હળ ચાલી રહ્યા છે. એ નગરીમાં બધા યે શત્રુઓને તાબે કરનાર જિતશત્રુ નામે રાજા છે. એ રાજાના પ્રચંડ બાહુબળરૂપ મંડપની એ નગરી છાયા સમાન છે. એ નગરીમાં વંશને નાશ કરે વા વાંસડાને ફાડવા એ અર્થને વંસવિલન શબ્દ વાંસડા વસડ લેકોને ઘેરે જ કેવળ વાંસડાને ફાડવાના અર્થમાં વપરાય છે પરંતુ તેને બીજો અર્થ એ નગરીમાં નથી. એ જ પ્રમાણે નાગરિકોનો નાશ કરે વા સૂંઠનું ચુરણ કરવું એ બે અર્થને નાગરચુર્ણ શબ્દ માત્ર વૈદ્યોની દુકાનમાં જ સૂંઠના ચૂરણ માટે વપરાય છે પરંતુ એને બીજો અર્થ એ નગરીમાં કયાંય નથી જણાતો. મારામારી કરવી વા દંડ કરવો એ અર્થને દંડુકમેવ શબ્દ એ નગરીમાં કેવળ જુગારખાના સિવાય ક્યાંય વપરાતું નથી. શાખાને પકડવી વા પક્ષને પકડે-પક્ષપાત કરે એવા બે અર્થને સાહાપરિગ્રહ શબ્દ એ નગરીમાં વૃક્ષોને અંગે જ વપરાય છે પરંતુ ક્યાંય કેમાં પક્ષપાત માટે વપરાતું નથી. એવી એ નગરીમાં નિત્ય નિવાસ કરનારે વાસવદત્ત નામે શેઠ રહે છે. તેને લલિતા નામે સ્ત્રી છે. તેમને સુદત્ત નામે એક પુત્ર છે. એ પુત્ર સહજ ભાવે જ સ્વચ્છ સ્વભાવવાળો છે. એ બધાં પિોતપોતાની કુલપરંપરામાં ચાલી આવતી એવી અવિરુદ્ધ વૃત્તિએ રહી સમયને વીતાવે છે. હવે એક વાર સુદત્ત પોતાની સાથે જ ધૂળમાં રમેલા એવા એમ નામના મિત્રને ઘરે કેઈ કામને લીધે ગયે. તેને એમે આસન આપ્યું અને એ એની ઉપર બેઠે. પછી તે બન્ને જણાએ સેગટાબાજી રમવી શરુ કરી. બરાબર બાજી ચગી ત્યાં ઘરમાંથી એકદમ મેટે કકળાટ ઉઠ્ય અને “આ શું થયું?” એમ કહેતે હાંફળાફાંફળે બનેલે ખેમ ઘર તરફ દોડ્યો. કુટુંબના લેકે એક બીજા મારામારી ઉપર આવી ગયેલા અને સાંબેલાના ઘાથી કેઈનાં માથાં ફૂટી જતાં તેમાંથી નીંગળતું લેહી શરીરે ખરડાયેલું હતું, એવું દ્રશ્ય એમના જેવામાં આવ્યું. આ જોઈને પરસ્પર લડતાં કુટુંબને એમે મહાકષ્ટ અટકાવ્યું. કુતૂહલને લીધે સુદત્તે એને પૂછ્યું: હે મિત્ર! આમ એકદમ અસમયે આવું ધાંધલ કેમ થયું? એમ બે શરમને લીધે એ કહી શકાય એવું પણ નથી. સુદત્ત બોલ્યો તો પણ આટલું બધું ધાંધલ થવામાં જરૂર કેઈ વિશેષ કારણ હોવું જોઇએ માટે મને એ વિશે થોડુંક તે જણાવ. એમ બે સાંભળ. મારી સ્ત્રીએ પણ લાવતાં લાવતાં ઘડે કેડી નાખે. એથી મારી માતાએ કુપિત થઈ તેને કેટલીક લપા મારી. પિતાની જ માને "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy