SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયદેવને રત્નપ્રાપ્તિ અને ઉપાયની સાર્થકતા : કથાર -કાશ : કૃપાથી આપણે ત્યાં શેની બેટ છે? શું ઓછું છે? આ રીતે તેણુએ પિતાની માને ઘણું ઘણું સમજાવી ત્યારે તેણીએ મહામુશીબતે એ માણેક પાછું આપ્યું. પછી એ માણેકને લઈને મદનસુંદરી ઝટઝટ ગંગાને કાંઠે પહોંચી ગઈ અને વિજયદેવ એ માણેકને લેવા ઈચ્છતું ન હતું છતાં ય તેણીના વિશેષ આગ્રહથી જ તેણે તેને લઈ લીધું. પછી તે બ્રાહ્મણને દક્ષિણ ન મળવાથી તેઓ પણ ભેડા પડી ગયા અને પાછા ચાલ્યા ગયા. અહે! ભાગ્ય કેવું વિપરીત છે કે આ દુષ્ટ રત્ન માંડમાંડ બેવાઈ ગયું હતું તે વળી હવે ક્યાંયથી મારી પાસે પાછું આવ્યું છે માટે હવે તો અનર્થની પથારી જેવા આ રત્નને ગંગાના કેઈ મેટા ધરામાં જ નાખી દઉં એમ કહેતે લુચ્ચાઈ કરીને તે વિજ્યદેવ ત્યાંથી નાશી ગયો. પછી તો નિરંતર પ્રયાણ કરતાં અને એ પાછા મળેલા માણેકને બરાબર સંતાડીને સાચવત વિજયદેવ પિતાને નગરે પહોંચ્યો. તેને મળીને પિતા રાજી થયા. ભાઈઓ પણ ખુશી થયા પછી પ્રસંગ મળતાં એ રત્નના લાભની હકીકત તેણે તેઓને કહી સંભળાવી. એ સાંભળી કુટુંબજનેએ તેની પ્રશંસા કરી. હવે પેલા માણેકના પ્રભાવને લીધે ઘરમાં ઘણી લક્ષ્મી થઈ અને તેથી એ ધનને સારા સારા વ્યવહાર અને દાન વગેરેના શુભ માર્ગમાં રોકવાથી એ વિજયદેવ આ લેકનાં અને પરલેકનાં એમ બને પ્રકારના સુખોનું ભાજન થશે. એ પ્રમાણે આપત્કાળે ઉપાયને શોધી કાઢનારે જેમ આ લોકનાં કાર્યોને સાધી શકે છે તેમ પરલોકનાં કાર્યોને પણ સુખેથી સાધી શકે છે, માટે એવા ઉપાયધકને સવિશેષપણે શાસ્ત્રમાં ધર્મને અધિકારી કહી બતાવેલ છે. જેઓ એવા ઉપાયને શોધી શકતા નથી એવા દુબુદ્ધિ કે ઉત્તમ નિધાનની પેઠે ધર્મનું ગ્રહણ કરી શકતા નથી, ધર્મને પચાવી શકતા, નથી. વળી, માણસ ચકકસ ઉપાય ન જાણુ હોય તે તે કોઈ પ્રકારે તેવી પરિસ્થિતિમાં એક પાઈ પણ મેળવી શકતા નથી તો પછી એવા પૂર્વોક્ત ઉપાયને નહીં જાણનારો માણસ અનેક કલ્યાણને કરનારી, નિખિલ સુખને દેનારો એવી ધર્મસિદ્ધિને તો શી રીતે મેળવી જ શકે ? પાપી માણસો પાપકર્મ કરવા માટે જન્માંધની પેઠે એક પણ ઉપાયને કયાંય જોઈ શકતા જ નથી. સંસારના પ્રપંચમય કાર્યો ભારે દુઃખથી ભરેલાં છે માટે તેને સારુ ઉપાય શોધવો એ વિફળ પ્રયાસ કરવા જેવું છે ત્યારે પાપને દૂર કરનારા સુખને આપનારા, યશના ભંડાર જેવા સમ્યગ્ધર્મના વિધાન માટે યત્ન કર, ઉપાય શોધે એ જ સપુરુષને યત્ન ફળવાન છે. એ પ્રમાણે કાર્યના માર્ગને બરાબર વિચાર કરનાર, ધર્મમાં અધિક રીતે મનને પરેવનારે બુદ્ધિમાન માણસ પિતાની બધી કામનાઓને પામે છે અને ઉત્તમ સુખની સમૃદ્ધિનું ભોજન બને છે. એ પ્રમાણે શ્રી કારત્ન કેશમાં ઉપાયના વિચાર પ્રસંગે વિજયદેવનું કથાનક સમાસ, (૨૪) "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy