SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ : કથાર–કેશ : રત્નનો ત્યાગ કરવા મદનસુદરીને માતાને આગ્રહ હું સુખપૂર્વક સુખે વ્યવહાર કરી શકું. અકાળે વજ પડે તે ભયાનક એ રત્નને વૃત્તાંત સાંભળીને મદસુંદરી કહેવા લાગીઃ હે બ્રાહ્મણે, આ મારી દાસીએ મારી માતા પાસે જઈને પાછી આવે એટલા સમય સુધી વાટ જુઓ ત્યાં સુધી તમે કશે સંકલ્પ ન કરાવશે. બ્રાહ્મણ બોલ્યા: ઠીક. પછી તેણીએ પોતાની માતાને રત્નની હકીકત કહેવા માટે અને રત્નને પાછું લાવવા માટે પિતાની દાસીઓને જલ્દી મોકલી દીધી. દાસીઓએ જઈને મયણમંજૂષાને બધી યથાસ્થિત હકીકત કહી સંભળાવી. તે સાંભળીને તે જલ્દી ઝંખવાણી પડી ગઈ અને “મરું તે ભલે મરી જાઉં પણ આ માણેકને તે નહીં જ છોડું” એ તેણીએ નિશ્ચય કર્યો. તેણીને આ ચક્કસ નિશ્ચય જાણને પેલી બધી દાસીઓ તે પાછી આવી ગઈ અને બનેલી બધી વાત મદનસુંદરીને કહી સંભળાવી. કેપ અને સંતાપને લીધે મેટું ઉદાસ થઈ જતાં હવે તે મદનસુંદરી પોતે જ પિતાની માતા પાસે જવા તૈયાર થઈ એ વખતે પેલે વિજયદેવ બેઃ હે પ્રિયે! આ ચાલુ ધર્મ-વિધિમાં છેલ્લે સંકલ્પ કરતાં શા માટે વિશ્વ નાંખે છે? હવે હું ઘણા લાંબા સમયે આવા કલ્યાણનો પ્રસંગ-મંગળનો સમય આવવાથી બચી ગયું છું. એ રીતે તે જેમ જેમ બોલવા લાગે તેમ તેમ એ, સ્વાભાવિક અવિવેકને લીધે વધારે ને વધારે મનમાં ગભરાવા લાગી અને તરત જ પિતાની માતા મયણમંજૂષા પાસે પિતે જાતે જ પહોંચી જઈ કહેવા લાગી. હે માતાજી! તમે મેં મેકલેલી દાસીઓના મુખેથી પેલા માણેકની હકીકત તો સાંભળી જ હશે છતાંય તે તેને જલ્દી પાછું કેમ આપી દેતી નથી? જે કાર્ય આપણે સારું ભયાનક છે અને આપદાઓ પડતાં જ નહીં સહી શકાય એવું નીવડવાનું છે તેવા કાર્યમાં પણ આત્માને નાંખો એ શું તને યુક્ત લાગે છે? લક્ષ્મી, ઘરબાર, નોકરચાકર, પરિવાર, લુગડાંલત્તાં અને ઘરેણુગાઠાં એ બધું શરીરને માટે છે પરંતુ જેનાથી એ શરીરને જ નાશ થતા હોય એવા માણેકને બહાને આપણે ત્યાં આવેલા જમરાજને ઘરમાં રાખી મૂકવાથી શું ફાયદો છે ? માટે હે માતા ! આ તારે દુરાગ્રહ તજી દે. જે પદાર્થ સર્વરીતે સુંદર હોય છતાં જીવિતને વિનાશ કરનારે હોય તેને રાખવાથી શો લાભ? સેનાની છરી શું પેટ ઉપર ચલાવી શકાય ખરી? આ માણેકને નાશ થવાથી તે પેલો વિજયદેવ ખુશખુશ થઈ ગયો છે, તેનું મુખકમળ ખીલી જવાથી વિશેષ ચમકી રહ્યું છે તે હવે પોતે બચી ગયા છે, એમ સમજી પિતાની જાતને ઘણુંઘણું અભિનંદન આપે છે તે તું જેતી નથી ? એક કેડી પણ ખોવાઈ જાય વા નાશ પામી જાય તે માણસે ઉદાસ થઈ જાય છે, એવું આપણે લેતા નથી? ત્યારે આવા મોટા માણેક-રત્નનો નાશ થવા છતાં ય જે તે તો રોગને નાશ થયે એમ સમજે છે અને ખુશખુશ થઈ ગયું છે, એને માયલે ભેદ કેમ તારા કન્યામાં આવતો નથી? હવે વધારે કહેવાથી શું ? તું મને જીવતી જેવા ચાહતી હે તે હવે એ માણેકને છોડી જ દે. તારી "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy